માનવીના ઉત્તમ ઇસ્લામની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «માનવીના ઉત્તમ ઇસ્લામની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે».
Explanation
Benefits
વ્યર્થ અને બેકાર વાતોથી દૂર રહેવું ઇસ્લામના સંપૂર્ણ મુસલમાન હોવાની દલીલ છે.
લોકોને તેમના ધાર્મિક અને દુન્યવી બાબતોમાં વ્યસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જે તેના માટે યોગ્ય હોય; કારણકે જયારે બિન જરૂરી કામોમાં વ્યસ્ત રહેવું એક સારા મુસલમાન હોવાની નિશાની નથી, તો તેનો અર્થ એ છે કે એક સારા મુસલમાને યોગ્ય કાર્યોમાં વ્યસ્ત રહેવું જોઈએ.
ઇમામ ઈબ્ને કૈય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: અલ્લાહના પગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ હદીષમાં: «માનવીના ઉત્તમ ઇસ્લામની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે», કહી વરઅ (તકવા) ના દરેક પ્રકારોને ભેગી કરી દીધા; કારણકે તેમાં વાતચીત કરવી, જોવું, સાંભળવું, પકડવું, ચાલવું, અને વિચારવું વગેરે દરેક જાહેર અથવા આંતરિક વાતોનો સમાવેશ થાય છે, જે ફાયદાકારક ન હોય, વરઅ બાબતે આ એક શંતોષકારક વાક્ય છે.
ઈબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ અદબના સિદ્ધાંતોનું એક મળ્યું છે.
આ હદીષ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવા પર પ્રોત્સાહન મળે છે; કારણકે જ્ઞાનના કારણે જ માનવી જાણી શકે છે કે કયું કામ તેના માટે ફાયદાકારક છે અને કયું કામ તેના માટે ફાયદાકારક નથી.
ભલાઈનો આદેશ આપવો, બુરાઈથી રોકવું, અને સહાનુભૂતિ દાખવી માનવીના ફાયદાકારક કાર્યો માંથી છે; કારણકે આ કાર્યોનો આદેશ આપવામાં આવ્યો છે.
આ હદીષનો સામાન્ય અર્થ જોવા જઈએ તો માનવીએ તે દરેક કામોથી દૂર રહેવું જોઈએ, જેને અલ્લાહએ હરામ કર્યા છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નાપસંદ કર્યા છે, એવી જ રીતે ગેબની વાતો અને બાળકની સંપૂર્ણ હિકમત જેમા આખિરતની વાતો પણ શામેલ છે, જેને એક મુસલમાનને જરૂર નથી, તેમાં એવા અનિવાર્ય કાર્યોનો પણ સમાવેશ થાય છે, જે થઈ ન હોય, અથવા જેને થવાની કોઈ આશા ન હોય, અથવા તેનું થવું અશક્ય હોય.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

