જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે».
Explanation
Benefits
વિશ્વાસઘાત જેના વિષે સખત ચેતવણી આપવામાં આવી છે, તેમાં તે દરેક કાર્યનો સમાવેશ થાય છે, જેનો સબંધ લોકોના પ્રાણ, આબરૂ, માલ, અને ભેદ સાથે હોય, જેના વિષે વિશ્વાસઘાત થતો હોય અને જેના દ્વારા ભરોસો તૂટતો હોય.
ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: આ સૂચન અરબો માટે છે, જે રીતે તેઓ કરતાં હતા; કારણકે તેઓ વફાદારી માટે સફેદ ઝંડો અને વિશ્વાસઘાત માટે કાળો ઝંડો ઉઠાવતા હતા, જેથી તેઓ વિશ્વાસઘાત કરનાર પર આરોપ લગાવી શકે અને તેને અપમાનિત કરી શકે, જેથી હદીષનો અર્થ એ છે વિશ્વાસઘાત કરનાર સાથે આ પ્રમાણે જ થશે; જેથી કયામતના દિવસે તેના કાર્યને લોકો સામે લાવવામાં આવે અને આ પ્રકારના લોકોને અપમાનિત કરવામાં આવે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે કયામતના દિવસે લોકોને તેમના બાપ દાદાના નામ દ્વારા પોકારવામાં આવશે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "આ ફલાણા અને ફલાણાનો પુત્રનો વિશ્વાસઘાત છે".
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

