સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે».
Explanation
ﷺએ જણાવ્યું કે જે લોકો એવા વ્યક્તિ પર લઅનત કરે છે જે તેનો હકદાર નથી, તો તેના માટે બે સજાઓ નક્કી કરવામાં આવી છે: પહેલી: તે કયામતના દિવસે પયગંબરોના સંદેશા પહોંચડવાની સાક્ષી નહીં આપી શકે, અને ન તો દુનિયામાં તેની સાક્ષી સ્વીકારવામાં આવશે; તેના ગુનાહના કારણે, અને તેને સાક્ષી આપવાનો અધિકાર આપવામાં નથી આવતો, અને ન તો તેને શહાદત આપવામાં આવશે જે અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારને પ્રાપ્ત થાય છે. બીજી: કયામતના દિવસે તેને ભલામણ કરવાનો અધિકાર આપવામાં નહી આવે, જ્યારે મોમિનો પોતાના તે ભાઈઓ માટે ભલામણ કરશે, જેમને જહન્નમમાં દાખલ કરવામાં આવશે.
Benefits
હદીષમાં જે સજા વર્ણન કરવામાં આવી છે, તે તે લોકો માટે છે, જે વધુ પ્રમાણમાં લઅનત (શાપ) કરતાં હોય છે, એક વખત કરવા પર નથી, અને આ હદીષમાં તે લઅનત પણ નથી, જે યોગ્ય હોય, અને જેનો ઉલ્લેખ શરીઅતે કર્યો હોય, જેમકે: «યહૂદીઓ અને નસ્રાનીઓ પર અલ્લાહની લઅનત થાય», «જાલિમો પર અલ્લાહની લઅનત થાય», «ચિત્ર બનાવનાર પર અલ્લાહની લઅનત થાય», «લૂત અલૈહિસ્ સલામની કોમનો અમલ કરનારા અર્થાત્ સમલૈંગિકતા કરનારા પર અલ્લાહની લઅનત થાય», «જે વ્યક્તિ અલ્લાહ સિવાય અન્ય માટે જાનવર ઝબેહ કરે તેના પર અલ્લાહની લઅનત થાય», «તે પુરુષો પર અલ્લાહની લઅનત થાય, જેઓ સ્ત્રીઓની ઉપમા અપનાવે છે, અને તે સ્ત્રીઓ પર અલ્લાહની લઅનત થાય જેઓ પુરુષોની સરખામણી કરે છે», વગેરે.
કયામતના દિવસે મોમિનો ભલામણ કરશે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

