તમે એવી વાત કહી છે કે જો તેને સમુદ્રના પાણીમાં ભેગી કરી દેવામાં આવે તો સમુદ્રનું પાણી પોતાના સ્વાદ બદલી નાખશે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું: તમારા માટે સફીય્યહનું આમ હોવું જ પૂરતું છે, -કેટલાક રિવાયત કરનારે કહ્યું: તેમનો કહેવાનો તાતપર્ય એ હતો કે તેણીની લંબાઈ ઓછી છે- તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે એવી વાત કહી છે કે જો તેને સમુદ્રના પાણીમાં ભેગી કરી દેવામાં આવે તો સમુદ્રનું પાણી પોતાના સ્વાદ બદલી નાખશે», તેમણે કહ્યું: મેં તો એક વ્યક્તિની નકલ ઉતારી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને એ વાત પસંદ નથી કે હું કોઈ વ્યક્તિની નકલ ઉતારું અને તેના બદલામાં મને આટલો અને આટલો માલ મળે».
Explanation
Benefits
અન્યની વાત અથવા કાર્યને એ પ્રમાણે વર્ણન કરવું કે તેમાં તુચ્છતા અને તેની ખામી સ્પષ્ટ કરવામાં આવે, તો તે હરામ ગીબત ગણવામાં આવશે.
શારીરિક ખામી વર્ણન કરવું, ગીબતનો એક ભાગ છે.
ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: ભેગું કરવું તેમજ મીક્ષણ કર્યા પછી તેની સ્થિતિ બદલાઇ જવી, અર્થાત્ આ ગીબત એટલો મોટો ગુનોહ છે, કે જો તેને સમુદ્રના પાણીમાં ભેગા કરવામાં આવે, તો સમુદ્ર પોતાની વિશાળતા તેમજ પુષ્કળતા હોવા છતાંય પોતાની ગુણવત્તા બદલી નાખશે, જો તેને કાર્યો સાથે સમાવેશ કરવામાં આવે તો કેટલા અંશ સુધી પોતાનો અસર છોડશે.
પત્નીઓ વચ્ચે ઈર્ષ્યા દ્વારા શુ થઈ શકે છે, તેની સ્પષ્ટતા વર્ણન કરવામાં આવી છે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બુરાઈને પસંદ કરતા ન હતા.
દુનિયા અને તેમાં રહેલી વસ્તુઓની તુલના જ્યારે અલ્લાહની પ્રસન્નતા અને તેના ગુસ્સે ન થવા સાથે કરવામાં આવે તો (દુનિયા અને તેની દરેક વસ્તુ) તુચ્છ થઈ જાય છે.
ઇસ્લામ સંપૂર્ણ સારા અખ્લાકનો દીન છે અને તે એવા કાર્યો અથવા વાતોથી બચવાનો આદેશ આપે છે, જેનાથી અન્યના સન્માનને ઠેસ પહોંચતી હોય; કારણકે તે મુસલમાનોની વચ્ચે શત્રુતા અને નફરતનું કારણ બને છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

