અલ્લાહ તઆલાએ આયત ઉતારી: {અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે}
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહ તઆલાએ આયત ઉતારી: {અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે}[અલ્ માઈદહ :૪૪] અને {તે લોકો જ અત્યાચારી લોકો છે} [અલ્ માઈદહ: ૪૭] અને {તે લોકો જ વિદ્રોહી છે} [અલ્ માઈદહ: ૪૭], અને કહ્યું: ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: આ આયત યહૂદીના બે પંથ વિશે ઉતારવામાં આવી, અજ્ઞાનતા સમયમાં એક જૂથ બીજા પર વિજય પામ્યું, અને પ્રભુત્વ મેળવેલ જૂથે આ વાત પર સમાધાન કરી, તે હારી ગયેલા જૂથના જેટલા વ્યક્તિઓને કતલ કર્યા છે, તેમની દિયત (હત્યા અથવા અન્ય કોઈ ગુનાના બદલામાં દંડ રૂપે મૃતકને આપવામાં આવતા પૈસા અથવા મિલકત) ૫૦ વસક (એક પ્રકારનું માપણું, જેમાં સાહીઠ સાઅ ફળ આવે) હશે, અને હારી ગયેલ વ્યક્તિએ વિજય પામેલ જૂથના જે વ્યક્તિને કતલ કર્યો હશે તેમના એક વ્યક્તિની દિયત ૧૦૦ વસક હશે, તેઓ આ કરાર પર કાયમ રહ્યા, અહીં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહ આવ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આવ્યા પછી આ બન્ને જુથો હારી ગયા, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના પર કોઈ લશ્કર મોકલી યુદ્ધ ન કર્યું, અને ન તો તેમની જમીનોને બરબાદ કરી, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની સાથે સમાધાન કર્યું, આ દરમિયાન હારી ગયેલા જૂથે વિજય પામેલા જૂથના એક વ્યક્તિનું કતલ કરી દીધું, તો વિજય પામેલા જૂથે હારી ગયેલા જૂથને સંદેશો મોકલાવ્યો કે તેઓ સો વસક દંડ કે દિયત મોકલે, હારી ગયેલ કબીલાએ કહ્યું: શું આ વાત ક્યારેય થઈ શકે છે કે જેનો દીન પણ એક હોય, નસબ પણ એક હોય અને શહેર પણ એક જ હોય? અને એકની દિયત પૂરી અને એકની અડધી? પહેલા અમે આ દંડ ડર અને ભયના કારણે આપતા હતા, પરંતુ હવે જ્યારે કે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ આવી ગયા છે, અમે આ દિયત તમને કંઈ પણ રીતે નહીં આપીએ, પરંતુ હવે જ્યારે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ગયા છે, તો આ દિયત અમે કોઈ પણ સંજોગોમાં નહીં આપીએ, તે બન્ને વચ્ચે યુદ્ધ થવાની નજીક જ હતું, તે બન્ને જૂથ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નિર્ણાયક બનાવવા માટે રાજી થઈ ગયા, પછી વિજય પામેલ કબીલાને યાદ આવ્યું અને કહેવા લાગ્યા, અલ્લાહની કસમ! મુહમ્મદ તમને તેની બાબતે બમણી દિયત નહીં અપાવી શકશે, અને તમે કહી પણ રહ્યા છો કે તમે અમારાથી ભયભીત થઈ અને ડર રાખીને દિયત આપતા રહ્યા છો, એટલા માટે તમે મુહમ્મદ પાસે કોઈ એવા વ્યક્તિને છાની રીતે મોકલો, જે તેમના મંતવ્ય વિશે તમને જાણ આપી શકે, જો તે તમારી તે જ દિયત અપાવશે, તો જે તમે ઇચ્છો છો તો તમે તેમને નિર્ણાયક બનાવી લો, અને જો તે નથી અપાવતા તો તમે તેમનો પીછો છોડો અને કોઈ ત્રીજાને નિર્ણાયક માટે શોધો, તો તે લોકોએ મુનાફિક (દંભી) માંથી કેટલાક લોકોને છાની રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે મોકલ્યા, જેથી આપનું મંતવ્ય જાણીને તેની ખબર કાઢી પહોંચાડી શકે, જ્યારે તે લોકો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યા, તો અલ્લાહ તઆલાએ પયગંબરને તેમની સંપૂર્ણ માહિતી અને તેમના હેતુઓની જાણ કરી દીધી અને આ આયત ઉતારી: {હે પયગંબર! તમે તે લોકો માટે ઉદાસ ન થશો, જેઓ કૂફરમાં ભાગદોડ કરી રહ્યા છે, તેમના માંથી કેટલાક તો એવા છે, જે જબાન વડે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા} [અલ્ માઈદહ: ૪૧] આ આયત સુધી {અને જે અલ્લાહ તઆલાએ આપેલ આદેશ મુજબ નિર્ણય ન કરે તો આ લોકો જ અવજ્ઞાકારી લોકો છે} [અલ્ માઈદહ: ૪૭], અલ્લાહની કસમ આ આયત તે બન્ને જૂથ વિશે ઉતારવામાં આવી, અને આયત આ જ બન્ને જૂથ વિશે છે.
Explanation
Benefits
યહૂદીઓ કપટી અને અન્યાયી છે, પોતાના પ્રત્યે પણ.
સર્વશક્તિમાન અલ્લાહ આપણને જણાવે છે કે યહૂદીઓને આ દુનિયામાં અપમાન અને આખિરતમાં ભવ્ય સજા મળશે.
અલ્લાહએ જે જાહેર કર્યું છે તે મુજબ નિર્ણય ન લેવો અને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નિર્ણયથી સંતુષ્ટ ન રહેવું, તે અવિશ્વાસ, અન્યાય અને અનૈતિકતાનો પુરાવો છે.
દંભીઓનો ભય અને યહૂદીઓ સાથે તેમનો સહયોગ.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

