સૌ પ્રથમ જૂથ જે જન્નતમાં પ્રવેશ કરશે, તેમના ચહેરા ચાંદની રાતમાં રોશનીની માફક પ્રકાશિત હશે, ત્યારબાદ જે લોકો પ્રવેશ કરશે, તેમના ચહેરા આકાશમાં સૌથી વધારે ચમકતા તારાની માફક ચમકદાર હશે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સૌ પ્રથમ જૂથ જે જન્નતમાં પ્રવેશ કરશે, તેમના ચહેરા ચાંદની રાતમાં રોશનીની માફક પ્રકાશિત હશે, ત્યારબાદ જે લોકો પ્રવેશ કરશે, તેમના ચહેરા આકાશમાં સૌથી વધારે ચમકતા તારાની માફક ચમકદાર હશે, ન તો તેમને પેશાબની જરૂર હશે અને ન તો હાજતની, ન તો તેઓને થુંક આવશે અને ન તો નાક માંથી લેંટ, તેમના કાંસકા સોનાના હશે, તેમનો પસીનો કસ્તુરીની સુગંધ જેવો હશે, તેમની વીંટીઓમાં સુગંધીત ઊદ સળગતું હશે, તેમની પત્નીઓ મોટી આંખો વાળી હૂર હશે, દરેકના ચહેરા એક જેવા હશે, અર્થાત્ પોતાના પિતા આદમની જેમ, તેમની લંબાઈ સાઈઠ હાથ ઊંચી હશે».
Explanation
Benefits
અર્થ અને સમજૂતી માટે તેની નજીકના અર્થનું ઉદાહરણ આપી શકાય છે.
ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: શું એમ કહી શકાય છે કે તેઓને કાંસકો કરવાની શું જરૂર છે, જ્યારે કે તેઓ હંમેશા યુવાન હશે અને તેમના વાળ સુંદર જ હશે?! તેમજ બખૂરની સુગંધ શું જરૂર છે, જ્યારે કે તેમના પસીનાની સુગંધ કસ્તુરીની જેમ, જે ખૂબ જ સુગંધિત છે?! તેમણે કહ્યું: જવાબ એ છે કે જન્નતી લોકોનું સુખ - જેમ કે ખાવું, પીવું, વસ્ત્રો અને સુગંધ - ભૂખ, તરસ, નગ્નતા અથવા અપ્રિય દુર્ગંધના દુઃખથી પ્રેરિત નથી, તેના બદલામાં, આ ક્રમિક આનંદ અને સતત નેઅમતો છે, તેની હિકમત એ છે કે તેઓ આ દુનિયામાં જે આનંદ માણતા હતા તેવી જ વસ્તુઓનો આનંદ ત્યાં માણશે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

