જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમ બનાવી તો જિબ્રઈલ અલૈહિસ્ સલામને તેની તરફ મોકલ્યા
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમ બનાવી તો જિબ્રઈલ અલૈહિસ્ સલામને તેની તરફ મોકલ્યા જન્નત તરફ મોકલ્યા તો કહ્યું: જાઓ અને તેને જુઓ, મે તેના રહેવાસીઓ માટે શું તૈયાર કર્યું છે, તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ જોઈને પાછા ફર્યા, અને કહ્યું: તારી ઇઝ્ઝતની કસમ ! આ જન્નત વિષે જે કોઈ પણ સાંભળશે તે તેમાં દાખલ થવાની જરૂર ઈચ્છા કરશે, ફરી અલ્લાહ તઆલાએ તેને નાપસંદ કાર્યો વડે ઘેરી લીધી, ફરી કહ્યું: જિબ્રઈલ અલૈહિસ્ સલામ જાઓ અને જુઓ, તેઓ જોઈને પાછા ફર્યા અને કહ્યું: તારી ઇઝ્ઝતની કસમ ! મને ભય છે કે કોઈ પણ આમાં દાખલ નહીં થઈ શકે, અલ્લાહ તઆલાએ કહ્યું: જાઓ જહન્નમ તરફ અને જુઓ કે મે તેના રહેવાસીઓ માટે શું તૈયાર કર્યું છે? તેઓ ગયા અને જોઈને પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: તારી ઇઝ્ઝતની કસમ ! કોઈ પણ તેમાં દાખલ થવાની ઈચ્છા નહીં કરે, ફરી અલ્લાહ તઆલાએ જહન્નમને મનેચ્છાઓ વડે ઘેરી લીધી, ફરી કહ્યું: જિબ્રઈલ અલૈહિસ્ સલામ જાઓ અને જુઓ, તેઓ ગયા અને જોઈ પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: તારી ઇઝ્ઝતની કસમ ! કોઈ પણ એવો બાકી નહીં રહે, જે આ જહન્નમમાં દાખલ નહીં થાય».
Explanation
Benefits
ગેબ તથા અલ્લાહ અને તેના પયગંબર ﷺ તરફથી જાણવા મળેલ દરેક વાતો પર ઈમાન ધરાવવું વાજિબ છે.
મુશ્કેલીઓ પર સબર કરવાની મહત્ત્વતા કે તે જન્નતમાં દાખલ થવાનો સ્ત્રોત છે.
હરામ કાર્યોથી બચવાની મહત્ત્વતા; કારણકે તે જહન્નમમાં દાખલ થવાનો એક મહત્તમ સ્ત્રોત છે.
અલ્લાહ તઆલા એ જન્નતને પરેશાનીઓ દ્વારા અને જહન્નમને મનેચ્છાઓ દ્વારા ઘેરી લીધી છે, જેનું કારણ દુનિયાના જીવનમાં પરીક્ષા લેવાનું છે.
જન્નતનો માર્ગ અઘરો છે તેના માટે ઈમાન, સબર અને મહેનતની જરૂર છે, અને જહન્નમનો માર્ગ દુનિયાની લિજ્જતતોથી ભરેલો છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

