જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમિઅલ્લાહુ લિમન્ હમિદહ કહેતા, તો અમારા માંથી કોઈ ત્યાં સુધી કમર નહતું ઝુકાવતું, જ્યાં સુધી આપ સિજદામાં જતા ન રહેતા, ત્યાર પછી અમે સિજદામાં જતા હતા
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબ્દુલ્લાહ બિન્ યઝીદ ખત્મી રિવાયત કરે છે તેઓ કહે છે કે મને બરાઅ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું અને જેઓ જુઠા નથી: જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમિઅલ્લાહુ લિમન્ હમિદહ કહેતા, તો અમારા માંથી કોઈ ત્યાં સુધી કમર નહતું ઝુકાવતું, જ્યાં સુધી આપ સિજદામાં જતા ન રહેતા, ત્યાર પછી અમે સિજદામાં જતા હતા.
Explanation
Benefits
ઈમામ ઈબ્ને દકીક અલ્ ઇદ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નમાઝમાં સંપૂર્ણ શાંતિનો પુરાવો છે.
મુક્તદી (ઈમામની પાછળ નમાઝ પઢનાર) એ નમાઝમાં ચાર સ્થિતિમાં અનુસરણ કરે છે : ૧- આગળ વધવું: ઇમામ પહેલા કોઈ પણ વસ્તુ શરૂ કરવું, કોઈ પણ નમાઝનું રુકન ઇમામના કર્યા પહેલા કરવું, ઉદાહરણ તરીકે: ઇમામના રુકૂઅ કર્યા પહેલા રુકૂઅ કરવો, તેના સિજદા કરતા પહેલા સિજદો કરવો, અને આ હરામ છે, અને જો આ જાણ હોવા છતાંય કરશે, તો તેની નમાઝ બાતેલ (અમાન્ય) ગણવામાં આવશે, રુકન પહેલા આગળ વધવુ અથવા કોઈ પણ રુકન, અને જો તકબીરે તહરિમાં પહેલા જ કરી દે તો તેણે બીજીવાર નમાઝ પઢવી પડશે. ૨-ઇમામની સાથે સાથે: ઇમામ સાથે સંમત થઈને, રુકૂઅ સાથે રુકૂઅ કરવો તેના સિજદા સાથે સિજદો કરવો, અને તેના કિયામ સાથે કિયામ, આ દરેક સ્થિતિઓ મકરુહ છે, પરંતુ સ્પષ્ટ પુરાવા દર્શાવે છે કે તે પણ પ્રતિબંધિત છે, જો તે શરૂઆતની તકબીરમાં ઇમામ સાથે સંમત થાય, તો તેની નમાઝ માન્ય નથી અને તેણે ફરીથી નમાઝ પઢવી પડશે. ૩- નમાઝના દરેક કાર્યો ઇમામના કર્યા પછી જ કરવા અને આ જ યોગ્ય રીત અને સુન્નત મુજબ છે ૪- પાછળ રહેવું: ઇમામથી એવી રીતે પાછળ રહેવું કે જેથી તે તેની પાછળ નમાઝ ન પઢી શકે, જેમ કે જ્યારે ઇમામ રુકૂઅ કરે, તો તેની પાછળ નમાઝ પઢનાર વ્યક્તિ ઇમામ રુકૂઅમાંથી ઉભા થાય ત્યાં સુધી ઊભો રહે છે, આ અનિવાર્ય કાર્યની વિરુદ્ધ અને પ્રતિબંધિત છે, સિવાય કે તે બીમારી અથવા વૃદ્ધાવસ્થાના કારણે હોય.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

