જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તકબીર કહેશો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
હિત્તાન બિન અબ્દુલ્લાહ અર્ રકાશી રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ સાથે નમાઝ પઢી, જ્યારે તેઓ કઅદહમાં બેઠા તો એક વ્યક્તિએ કહ્યું કે નમાઝને નેકી અને ઝકાત સાથે વર્ણન કરવામાં આવી છે, જ્યારે અબૂ મૂસાએ નમાઝ પઢી લીધી તો તેમણે પાછળ જોયું અને કહ્યું: તમારા માંથી આવી વાત કોણે કહી? તો દરેક લોકો ભયના કારણે ચૂપ રહ્યા, ફરીવાર પૂછ્યું કે તમારા માંથી આ વાત કોણે કહી? તો લોકો ભયના કારણે ચૂપ રહ્યા, તો અબૂ મૂસાએ કહ્યું કે હે હિત્તાન મને લાગે છે કે તે આ વાત કરી છે? તો હિત્તાને કહ્યું કે મેં આ વાત નથી કરી, હા મને ભય જરૂર હતો કે આપ આના કારણે મારી પકડ કરશો, તરત જ લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું કે આ વાત મેં કહી હતી, અને મારો હેતુ ભલાઈ સિવાય કંઈ ન હતો, અબૂ મૂસાએ કહ્યું: શું તમે જાણતા નથી કે તમારે તમારી નમાઝમાં શુ કહેવું જોઈએ? આપ ﷺ એ ખુતબો આપ્યો, આપે સુન્નતને સ્પષ્ટ કરી અને નમાઝનો તરીકો શીખવાડયો, અને કહ્યું: «જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તકબીર કહેશો, અને જ્યારે તે આ આયત પઢી લે: {غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ} તો તમે આમીન કહો, અલ્લાહ તમારી દુઆ કબૂલ કરશે, પછી ઇમામ અલ્લાહુ અકબર કહી રુકૂઅ કરે તો તમે પણ અલ્લાહું અકબર કહી રુકૂઅ કરો, ઇમામ તમારા કરતા પહેલા રુકૂઅમાં જશે અને તમારા કરતા પહેલા રુકૂઅ માંથી ઉભો થશે, અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું, (રુકુઅમાં મુક્તદી તરફથી થતી વાર આ વસ્તુનું બદલ ગણાશે, જે વાર) માથું ઉઠવતી વખતે થાય છે, જ્યારે ઇમામ સમિઅલ્લાહુ લિમન હમિદહ કહેશે તો તમે કહો અલ્લાહુમ્મ રબ્બના લકલ્ હમ્દ્, અલ્લાહ તમારી વાત સાંભળશે, કારણકે આ વાક્યો પયગંબરની જબાને કહ્યા છે, અલ્લાહએ તેની વાત સાંભળી જેણે તેની પ્રશંસા કરી, પછી ઇમામ જ્યારે અલ્લાહુ અકબર કહે અને સિજદો કરે તો તમે પણ અલ્લાહુ અકબર કહો અને સિજદો કરો, ઇમામ પહેલા સિજદામાં જશે અને સિજદા માંથી પહેલા માથું ઉઠાવશે, અલ્લાહના રસૂલ ﷺએ કહ્યું તો આ વાર મુકતદીએ કરેલી વારનો બદલ હશે, અને જ્યારે તે કઅદહમાં જાય તો તમારો સૌ પ્રથમ દુઆ હશે, التَّحِيَّاتُ الطَّيِّبَاتُ الصَّلَوَاتُ لِلهِ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».
Explanation
જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, અને સીધા ઉભા રહી જાઓ, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે તકબીરે તહરીમા અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તેના જેવી જ તકબીર કહેશો, અને સૂરે ફાતિહા પઢો અને જ્યારે તે આ આયત પહોંચે: {غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ} (સૂરે ફાતિહા : ૭), તો તમે આમીન કહો, જો તમે આ પ્રમાણે કરશો તો અલ્લાહ તમારી દુઆ કબૂલ કરશે, પછી ઇમામ અલ્લાહુ અકબર કહી રુકૂઅ કરે તો તમે પણ અલ્લાહું અકબર કહી રુકૂઅ કરો, ઇમામ તમારા કરતા પહેલા રુકૂઅમાં જશે અને તમારા કરતા પહેલા રુકૂઅ માંથી ઉભો થશે, તમારે એમના કરતા પહેલા ઉભા નથી થવાંનું; કારણ કે જે ક્ષણમાં ઈમામ રુકૂઅમાં તમારી આગળ વધ્યા હતા તે ક્ષણ તમારા માટે ફરજીયાત છે કે તેણે તેને ઉભા કર્યા પછી રુકૂઅમાં તમને એક ક્ષણ માટે વિલંબ કરો, તેથી તે ક્ષણ તે જ ક્ષણ છે અને તમારા રુકુઅની લંબાઈ સમાન થઈ જશે, જ્યારે ઇમામ સમિઅલ્લાહુ લિમન હમિદહ કહેશે તો તમે કહો અલ્લાહુમ્મ રબ્બના લકલ્ હમ્દ્, અલ્લાહ તમારી વાત સાંભળશે; કારણકે આ પયગંબરની જબાન વડે કહી છે, અલ્લાહએ તેની વાત સાંભળી જેણે તેની પ્રશંસા કરી, પછી ઇમામ જ્યારે અલ્લાહુ અકબર કહે અને સિજદો કરે તો તમે પણ અલ્લાહુ અકબર કહો અને સિજદો કરો, અને આ બન્ને તમારા પર ફરજીયાત છે, ઇમામ સિજદામાં જશે અને સિજદા માંથી પહેલા માથું ઉઠાવશે, કારણ કે જે ક્ષણમાં ઈમામે ઝુકાવમાં તમારી આગળ વધ્યા હતા તે ક્ષણ તમારા માટે ફરજીયાત છે કે તેણે તેને ઉભા કર્યા પછી ઝૂકવામાં તમને એક ક્ષણ માટે વિલંબ કરો, તેથી તે ક્ષણ તે ક્ષણ છે અને તમારા સિજદાની લંબાઈ સમાન થઈ જાય છે, અને જ્યારે તે કઅદહમાં જાય તો તમારે સૌ પ્રથમ આ દુઆ પઢવાની રહેશે , التَّحِيَّاتُ الطَّيِّبَاتُ الصَّلَوَاتُ لِلهِ،
સામ્રાજ્ય, અસ્તિત્વ અને મહાનતા સર્વશક્તિમાન અલ્લાહ માટે જ છે.અને એવી જ રીતે પાંચેય નમાઝ પણ અલ્લાહ માટે જ છે, السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، અલ્લાહથી દરેક ખામી અને નુકસાનથી બચવાનો સવાલ કરવો જોઈએ, પછી અમે આપ ﷺ પર અને દરેક સદાચારી લોકો માટે સલામતીનો સવાલ કરીએ છીએ, જે અધિકાર અલ્લાહ અને તેના બંદાઓ પર છે, તેને પુરા પાડીએ છીએ, أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.
Benefits
નમાઝના રુકન અને દુઆઓ જરૂરી છે કે તે નબી ﷺ દ્વારા સાબિત હોવી જોઈએ, જે નવી દુઆ અને પ્રક્રિયા સુન્નતથી સાબિત ન હોય, તેને નમાઝમાં પઢવી જાઈઝ નથી.
ઇમામ પહેલા કોઈ કાર્ય કરવું અને વિલંબ કરવો જાઈઝ નથી, શરીઅત તો ઇમામ જે પ્રમાણે કરે તે પ્રમાણે કરવાનો આદેશ આપે છે.
નબી ﷺ એ પોતાની કોમને શરીઅતના આદેશો શીખવાડવા અને લોકો સુધી પહોંચાડવા માટે અને પોતાની કોમને દીનનું જ્ઞાન આપવા બાબતેનું વર્ણન.
ઇમામ અનુયાયી માટે ઉદાહરણ છે, તેથી તેના માટે નમાઝની ક્રિયાઓમાં તેનાથી આગળ આવવું, તેની તુલના કરવી અથવા તેના માટે મોડું કરવું માન્ય નથી, તેના બદલે, તે તેના અનુસરણની શરૂઆત જ્યારે તેને ખાતરી થઈ જાય કે તે જે કાર્ય કરવા માંગે છે તેમાં તેણે પ્રવેશ કર્યો છે પછી જ કરે અને આ પ્રમાણે અનુસરણ કરવું સુન્નત છે.
નમાઝમાં સફ બરાબર કરવાનું મહત્વ.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

