તે દીનાર, જે તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો છો અને તે દીનાર જે તમે એક ગુલામને આઝાદ કરવા માટે ખર્ચ કરો છો, તેમજ તે દીનાર, જે તમે એક લાચાર પર ખર્ચ કર્યો અને એક દીનાર જે તમે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કર્યો, સવાબરૂપે આ દરેક દીનારમાં સૌથી ઉત્તમ તે દીનાર છે, જે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કરવામાં આવે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે દીનાર, જે તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો છો અને તે દીનાર જે તમે એક ગુલામને આઝાદ કરવા માટે ખર્ચ કરો છો, તેમજ તે દીનાર, જે તમે એક લાચાર પર ખર્ચ કર્યો અને એક દીનાર જે તમે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કર્યો, સવાબરૂપે આ દરેક દીનારમાં સૌથી ઉત્તમ તે દીનાર છે, જે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કરવામાં આવે».
Explanation
Benefits
જરૂરત પ્રમાણે જે લોકો વધારે જરૂરિયાતમંદ હોય, તેમને પ્રાથમિકતા આપવામાં આવે, જેવું કે પોતાના ખાનદાન પર ખર્ચ કરવું, જેમના પર અન્ય કોઈ ખર્ચ નથી કરી શકતું.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ સહીહ મુસ્લિમની સમજૂતીમાં: આ હદીષમાં પોતાની પત્ની અને બાળકો પર ખર્ચ કરવા પર પ્રોત્સાહિત કર્યા છે અને તેનો ભવ્ય સવાબ પણ વર્ણન કરવામાં આવ્યો; કારણકે સંબંધીઓ પર ખર્ચ કરવામાં સૌથી વધારે નજીક પોતાની પત્ની અને બાળકો સબંધ ધરાવે છે, તેમાંથી કેટલાક જાઈઝ (યોગ્ય) ખર્ચ વર્ણન થયા છે, જે સદકો પણ ગણવામાં આવે છે અને સિલા રહેમી પણ, અને તેમાંથી એક લગ્નના કારણે તેમજ તેમાં લીધેલી કસમના કારણે અનિવાર્ય ખર્ચ છે, અને આ દરેક નેકીમાં જ ગણવામાં આવે છે, અને સૌથી ઉત્તમ ખર્ચ પોતાના ઘરવાળાઓ પર ખર્ચ કરવું ગણવામાં આવશે.
ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કહેવું (એક દીનાર, જે પોતાની પત્ની અને બાળકો પર ખર્ચ કરવામાં આવે) નો અર્થ: તે અલ્લાહ માટે કરવાની નિયત ધરાવતો હોય અને પોતાની પત્ની અને બાળકોનો હક પૂરો પાડવાનો ઈરાદો રાખતો હોય.
અબૂ કિલાબહ રહિમહઉલ્લાહએ કહ્યું: તેના કરતાં વધારે સવાબ કોનો હોઈ શકે છે, જે નાના બાળકો પર ખર્ચ કરતો હોય, તેમને ગરીબીથી બચાવતો હોય અને અલ્લાહ તેમના દ્વારા તેને ફાયદો આપતા હોય અને તેમને બેનિયાજ કરતો હોય?!
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

