અહીંયાથી ગયા પછી મેં ત્રણ વખત ચાર કલીમાં પઢયા છે, જો તે કલિમાને તમારા શબ્દો સાથે, જે તમે હમણાં પઢયા છે, તોલવામાં આવે તો આ ચાર કલીમા વાળું ત્રાજવું નમી જશે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઉમ્મુલ્ મુઅમિનીન જુવૈરિયહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવારની નમાઝ પઢીને સવાર સવારમાં તેમની પાસેથી બહાર નીકળ્યા, તેઓ પોતાની નમાઝ પઢવાની જગ્યાએ બેઠા હતા, પછી જ્યારે સવાર થઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની પાસે ફરી આવ્યા, તો પણ તેઓ તે જ જગ્યાએ બેસી રહ્યા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે સ્થિતિમાં હું છોડીને ગયો હતો તે જ સ્થિતિમાં તમે બેઠા છો?», તેમણે કહ્યું: હા, તો આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અહીંયાથી ગયા પછી મેં ત્રણ વખત ચાર કલીમાં પઢયા છે, જો તે કલિમાને તમારા શબ્દો સાથે, જે તમે હમણાં પઢયા છે, તોલવામાં આવે તો આ ચાર કલીમા વાળું ત્રાજવું નમી જશે: "સુબ્હાનલ્લાહિ વ બિહમદિહી અદદ ખલ્કિહી વ રિઝા નફ્સિહિ વઝિનત અર્શિહી વ મિદાદ કલિમાતિહી"
(અર્થ: અલ્લાહની પવિત્રતા અને પ્રશંસા વર્ણન કરું છું, તેના સર્જનની સંખ્યા અને તેની પ્રસન્નતા જેટલી, તેમજ તેના અર્શના વજન અને કલીમાની સહી બરાબર».
Explanation
તેની પ્રસન્નતા જેટલી), તે ખુશ થાય એટલી તસ્બીહ વર્ણન કરીએ છીએ, તે પોતાના બંદાઓથી એટલો ખુશ થાય છે, જેની અંદાજો નથી કરી શકતા, ("વ ઝિનત અર્શિહિ" અર્શના વજન બરાબર) જે દરેક સર્જન કરતા મહાન અને ભારે છે, (વ મિદાદ કલિમાતિહિ" તેના કલિમાની સિયાહી બરાબર), તેના શબ્દો અગણિત છે, તેને ગણી નથી શકતા, જેમાં ત્રણેય વિષયનો સમાવેશ થાય છે, જેવું કે તેના કલીમાની સિયાહી, તે બુલંદ છે, પોતાની વિશાળતા, સ્પષ્ટતા અને સંખ્યામાં અગણિત છે, અહીંયા વધારો જણાવવા પર જોર આપવામાં આવ્યું છે, પહેલા નંબર પર તેણે અગણિત સર્જનનું વર્ણન કર્યું, ત્યારબાદ તેના કરતાં પણ અગણિત અલ્લાહના કલિમાનું વર્ણન કર્યું અને ત્યારબાદ સર્જન માંથી સૌથી મહાન અને ભારે અર્શનું વર્ણન કર્યું, પ્રથમ, એક માપદંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે - તેના સર્જનની સંખ્યા પછી, તે "પોતાના આનંદ" તરીકે વ્યક્ત કરતાં વધુ કંઈક તરફ આગળ વધે છે. આગળ સૌથી મહાન અને જે વજનમાં સૌથી ભારે છે, અર્શનું વર્ણન. પ્રથમ સંખ્યા અને જથ્થા સાથે, બીજુ વર્ણન અને ગુણવત્તા સાથે અને ત્રીજો મહાનતા અને વજન સાથે સંબંધિત છે.
Benefits
ઝિક્ર વિવિધ પ્રકારના છે, મહાનતામાં કેટલાક એકબીજાથી અલગ હોય છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ આ શબ્દ વિષે કહ્યું: (સુબ્હાનલ્લાહિ વ બિહમદીહિ મિદાદ કલિમાતિહિ): તેનો અર્થ વધારો દર્શાવવો છે, એટલા માટે સૌ પ્રથમ સંખ્યાને સર્જનની સંખ્યા બરાબર વર્ણન કરી, ત્યારબાદ અર્શના વજન બરાબર અને પછી તેના કરતાં વધુનું વર્ણન કરવામાં આવ્યું, જે અગણિત છે અને ગણી પણ નથી શકતા.
ઈમામ ઈબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: જ્યારે બંદો આ ઝિક્ર "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ, વ અદદ ખલકિહિ..." છેલ્લે સુધી પઢે, તો તેના દિલની સ્થિતિ કેવી હશે, તેની મહાનતા, તેની પાકી અને શક્તિ તેના શબ્દો જે હમણાં વર્ણન કરી રહ્યો છે અને તેના દિલમાં છે તેના કરતાં પણ વધારે તેની મહાનતા, પાકી અને કુદરતને લાયક છે, જ્યારે ફક્ત સુબ્હાનલ્લાહ કહેવા પર તેની સ્થિતિ હોય છે.
એવા વ્યાપક શબ્દો તરફ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેમાં શબ્દો ઓછો હોય પરંતુ તેનો સવાબ, બદલો અને કૃપા ખૂબ હોય.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

