સૌથી ઉત્તમ દિવસ જેમાં સૂરજ નીકળે છે, તે શુક્રવારનો દિવસ છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સૌથી ઉત્તમ દિવસ જેમાં સૂરજ નીકળે છે, તે શુક્રવારનો દિવસ છે, તે દિવસે આદમ અલૈહિસ્ સલામનો જન્મ થયો, તે જ દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપવામાં આવ્યો, અને તે જ દિવસે તેમને ત્યાંથી નીકાળવામાં આવ્યા, અને કયામત પણ શુક્રવારના દિવસે જ આવશે».
Explanation
Benefits
શુક્રવારના દિવસે ખૂબ સારા કાર્યો કરવા પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, અને તે દિવસે પવિત્ર અલ્લાહની રહેમત પ્રાપ્ત કરવા અને તેના ક્રોધને દૂર કરવા માટે તૈયારી કરવી જોઈએ.
શુક્રવારના દિવસની કેટલીક મહત્ત્વતાઓ આ હદીષમાં વર્ણન કરવામાં આવી છે, કહેવામાં આવ્યું છે: આદમ અલૈહિસ્ સલામને જન્નત માંથી કાઢવા અને શુક્રવારના દિવસે કયામત આવવી તે શુક્રવારની મહત્ત્વતાઓ માંથી નહીં ગણાય, અને એમ પણ કહેવામાં આવ્યું છે: પરંતુ શુક્રવારના દિવસની ઘણી મહત્ત્વતાઓ છે, અને આદમ અલૈહિસ્ સલામને જન્નત માંથી એટલા માટે કાઢવામાં આવ્યું જેથી તેમની સંતાનને જમીન પર લાવી શકાય, અને શુક્રવારના દિવસે કયામત કાયમ થવી એ અલ્લાહએ પોતાની નેઅમતો માંથી જે બદલો તૈયાર કરી રાખ્યો છે, તે સદાચારી લોકોને જલ્દી આપવા માટે.
આ હદીષમાં શુક્રવારન દિવસની જે મહત્ત્વતા વર્ણન થઈ છે, તે સિવાય શુક્રવારની અન્ય મહત્ત્વતાઓ પણ બીજી હદીષોમાં વર્ણન કરવામાં આવી છે, જેમાંથી: શુક્રવારના દિવસે આદમ અલૈહિસ્ સલામે તૌબા કરી, અને તે જ દિવસે તેમનું મૃત્યુ થયું અને શુક્રવારના દિવસે એક સમય એવો છે કે તે સમયે બંદો અલ્લાહ પાસે જે કઈ પણ માંગે અલ્લાહ તેની માંગણી કબૂલ કરી તેને જરૂર આપે છે.
વર્ષમાં સૌથી શ્રેષ્ઠ દિવસ, અરફાનો દિવસ, અને કહેવામાં આવે છે કે કુરબાનીનો દિવસ, તેમજ અઠવાડિયામાં સૌથી શ્રેષ્ઠ દિવસ શુક્રવારનો દિવસ, અને સૌથી શ્રેષ્ઠ રાત, લયલતુલ્ કદરની રાત છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

