કસમ છે તે હસ્તીની, જેના હાથમાં મારી જાન છે, તમે જન્નતમાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લઈ આવો, અને તમે ત્યાં સુધી મોમિન બની શકતા નથી, જ્યાં સુધી કે તમે એકબીજા સાથે મુહબ્બત ન કરવા લાગો, શું હું તમને એક એવી વસ્તુ વિશે ન જણાવું કે જો તમે તેને અપનાવી લો, તો એક બીજા સાથે મુહબ્બત કરવા લાગશો? અંદરો અંદર સલામને ખૂબ ફેલાવો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કસમ છે તે હસ્તીની, જેના હાથમાં મારી જાન છે, તમે જન્નતમાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લઈ આવો, અને તમે ત્યાં સુધી મોમિન બની શકતા નથી, જ્યાં સુધી કે તમે એકબીજા સાથે મુહબ્બત ન કરવા લાગો, શું હું તમને એક એવી વસ્તુ વિશે ન જણાવું કે જો તમે તેને અપનાવી લો, તો એક બીજા સાથે મુહબ્બત કરવા લાગશો? અંદરો અંદર સલામને ખૂબ ફેલાવો».
Explanation
Benefits
ઈમાનની સંપૂર્ણતા એ છે મુસલમાન પોતાના ભાઈ માટે તે જ પસંદ કરે જે તે પોતાના માટે પસંદ કરે છે.
લોકો વચ્ચે મોહબ્બત અને શાંતિ ઉત્પન્ન કરવા માટે સલામ ફેલાવવું જાઈઝ કરવામાં આવ્યું છે.
સલામ ફક્ત મુસલમાનોને જ કહવામાં આવશે; કારણકે નબી ﷺ એ કહ્યું: "તમારી અંદરો અંદર".
સલામ દ્વારા દૂરી, નફરત અને દુશ્મની દૂર થઈ જાય છે.
મુસલમાનો વચ્ચે મોહબ્બત ફેલાવવાની મહત્ત્વતા, અને તે ઈમાનના સંપૂર્ણ હોવાની દલીલ છે.
બીજી હદીષમાં સલામ માટેનો સંપૂર્ણ શબ્દ વર્ણન કરવામાં આવ્યો છે: "અસ્ સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ" અને "અસ્ સલામુ અલૈકુમ" કહેવું પણ પૂરતું થઈ જશે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

