જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હશે, પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હશે, પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે પગ ધોવે છે, તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હશે તો તે પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, અહી સુધી કે તે દરેક (નાના) ગુનાહથી પાક સાફ થઇ જાય છે».
Explanation
Benefits
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તરીકો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોને ઈબાદત અને અનુસરણમાં તેનાથી મળતો ફાયદો અને સવાબ અને બદલાનું વર્ણન કરી પ્રોત્સાહન આપતા હતાં.
માનવીના દરેક અંગ દ્વારા કંઈક ને કંઈ ગુનાહ થતાં હોય છે, એટલા માટે તેના અંગોને તે ગુનાહની ભયાનકતાનો સામનો કરવો પડતો હોય છે, જ્યારે તે તૌબા કરે છે, તો જે અંગ વડે ગુનાહ થયા હોય તેનાથી તે નીકળી જાય છે.
વઝૂ દ્વારા શારીરિક શુદ્ધતા પ્રાપ્ત થાય છે, જ્યારે તે વઝૂના અંગો ધોવે છે, એવી જ રીતે આંતરિક શુદ્ધતા પ્રાપ્ત થાય છે, જે અંગો દ્વારા થતાં ગુનાહને દૂર કરી.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

