પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ અલ્લાહ કબૂલ કરે છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઉમ્મે દરદાઅ અને અબૂદ્ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે: «પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ અલ્લાહ કબૂલ કરે છે, દુઆ કરનાર પાસે અલ્લાહ તરફથી એક ફરિશ્તો નક્કી કરવામાં આવે છે જ્યારે પણ તે પોતાના ગેરહાજર ભાઈ માટે દુઆ કરે છે તો નક્કી કરેલ ફરિશ્તો કહે છે: અલ્લાહ કબૂલ કરે અને (દુઆ કરનાર) ને પણ તેના જેવું જ આપે».
Explanation
Benefits
ગેરહાજર ભાઈ માટે દુઆ કરવી સાચા ઇમાન અને ભાઈચારાની નિશાની છે.
દુઆને ગેરહાજર સાથે વર્ણન કરવી; કારણકે તે પોતાના ભાઈ પ્રત્યે નિખાલસતા અને દિલની હાજરી દર્શાવે છે.
કોઈની ગેરહાજરીમાં તેના માટે દુઆ કરવી તે દુઆ કબૂલ થવાના સ્ત્રોત માંથી છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: પોતાના ભાઈની ગેરહાજરીમાં તેના માટે દુઆ કરવાની મહત્ત્વતા, ભલેને મુસલમાનોના એક જૂથ માટે દુઆ કરવામાં આવે આ મહત્ત્વતા પ્રાપ્ત થઇ જશે, અને જો કોઈ સમગ્ર મુસલમાનો માટે પણ દુઆ કરો તે અન આ મહત્ત્વતા પ્રાપ્ત થશે, કેટલાક આપણા સદાચારી પૂર્વજો વિશે વર્ણન કરવામાં આવે છે કે જ્યારે તે પોતાના માટે કંઈ દુઆ કરતા તો પોતાના મુસલમાન માટે પણ તે જ દુઆ કરતા હતા; કારણકે તેઓ જાણતા હતા કે આ દુઆ કબૂલ કરવામાં આવશે, અને તેમને પણ તેના જેવું જ મળશે.
ફરિશ્તાઓના કેટલાક અમલનું વર્ણન, અને તેમાંથી કેટલાક એવા છે જેમનેઅલ્લાહ તઆલાએ આ કામ સોંપ્યું છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

