
અને દસ રાતો ઝુલ-હિજ્જાની રાતો આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ?
અને દસ રાતો ઝુલ-હિજ્જાની રાતો આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ? ઇબ્ને અબ્બાસ (રદિઅલ્લાહૂ અન્હુ) એ કહ્યું: રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું કે, "એવા કોઈ દિવસો નથી કે જેમાં સારા...
અને દસ રાતો ઝુલ-હિજ્જાની રાતો આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ?
અને દસ રાતો
ઝુલ-હિજ્જાની રાતો
આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ?
ઇબ્ને અબ્બાસ (રદિઅલ્લાહૂ અન્હુ) એ કહ્યું: રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું કે,
"એવા કોઈ દિવસો નથી કે જેમાં સારા કાર્યો આ દિવસો કરતાં સર્વશક્તિમાન અલ્લાહ ને વધુ પ્રિય હોય". (એટલે કે ઝુલ હિજ્જાના દસ દિવસો)
તેમણે કહ્યું: હે અલ્લાહના રસુલ, અલ્લાહની ખાતર જેહાદ પણ નથી?
આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ કહ્યું: અલ્લાહ ની ખાતર જેહાદ પણ નહીં. સિવાય કે જે માણસ તેના જીવ અને તેના પૈસા સાથે જિહાદ માં ગયો અને પછી કંઈપણ સાથે પાછો ન આવ્યો."
સારા કાર્યોમાં વિવિધ પ્રકારની ઈબાદતનો સમાવેશ થાય છે.
જેમ કે રોજા, નમાઝ,હજ, ઝીક્રો અઝકાર, સર્વશક્તિમાન અલ્લાહની હમ્દ, કુરાનની તિલાવત, અને સખાવતી કાર્યોમાં ખર્ચ કરવો વગેરે.
આ દિવસોમાં શું સાબિત થયેલ છે ? :
1, દસમા દિવસ સિવાયના રોજા.
પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કેટલીક પત્નીઓએ (રદિઅલ્લાહૂ અન્હુમા)એ કહ્યું: અલ્લાહ ના રસુલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઝુલ-હિજ્જાના નવ દિવસ રોજા રાખતા હતા.
ખાસ કરીને અરાફાતના દિવસે, જે બે વર્ષના ગુનાહોને માફ કરે છે.
2- હજ, જે દસ દિવસમાં કરવામાં આવેલું શ્રેષ્ઠ કાર્ય છે, અને પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કહ્યું: મકબુલ હજનો જન્નત સિવાય કોઈ બદલો નથી.
3- કુરબાની એ સાબિત થયેલ સુન્નત છે, અને જે કોઈ કુરબાની કરવા માંગે છે તેણે ઝુલ-હિજ્જા મહિનાની શરૂઆતથી તેની કુરબાની જિબહ ન થાય ત્યાં સુધી તેના વાળ અને નખ કાપવાથી દૂર રહેવું જોઈએ.
4- ઘણી બધી તહલીલ, તકબીર અને હમ્દ કરો.
તકબીર માટેના શબ્દો: અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર , લા ઈલાહા ઈલ્લલ્લાહુ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર , વ લિલ્લાહિલ હમ્દ.
عشر ذي الحجة
File | Action |
---|---|
photo_٢٠٢٤-٠٦-٠٧_١٢-٥٠-١٠.jpg | Download |

અને દસ રાતો ઝુલ-હિજ્જાની રાતો આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ?
Scan QR Code | Use a QR Code Scanner to fast download directly to your mobile device