HadeethEnc · 1.26.0
જો કોઈ મુસલમાન સારી રીતે વઝૂ કરે, ફરી ઊભો થઈ કિબ્લા તરફ મોઢું કરી બે રકઅત નમાઝ પઢે, તો તેના માટે જન્નત અનિવાર્ય થઈ જાય છે
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમારી ઊંટ ચરવવાની જવાબદારી હતી, અને જ્યારે મારી વારી આવી તો હું સાંજે ઊંટોને લઈને પાછો આવ્યો, તો જોયું કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ઊભા થઈ લોકોને હદીષ સંભળાવી રહ્યા હતા, મેં તેમને કહેતા સાંભળ્યા: «જો કોઈ મુસલમાન સારી રીતે વઝૂ કરે, ફરી ઊભો થઈ કિબ્લા તરફ મોઢું કરી બે રકઅત નમાઝ પઢે, તો તેના માટે જન્નત અનિવાર્ય થઈ જાય છે", ઉકબા બિન આમિર કહે છે કે મેં કહ્યું: કેટલી સારી વાતો છે, તો આ સાંભળી મારી નજીકના એક વ્યક્તિએ કહ્યું: આના કરતાં પહેલાંની વાતો વધુ સારી હતી, મેં જોયું કે તે ઉમર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) હતા, તેમણે કહ્યું: મેં જોયું કે તમે હમણાં જ આવ્યા છો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: તમારા માંથી જે વ્યક્તિ પણ સંપૂર્ણ રીતે વઝૂ કરે, અને કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે.") તો તેના માટે જન્નતના આઠેય દરવાજા ખોલી દેવામાં આવે છે, તે જેમાંથી ઈચ્છે પ્રવેશ કરી શકે છે».
02
Explanation
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ બે ભવ્ય મહત્ત્વતાઓ વર્ણન કરી રહ્યા છે:
પહેલી: જે વ્યક્તિ સારી રીતે વઝૂ કરે, અને તે વઝૂને દરેક સુન્નત તરીકા વડે પૂર્ણ કરે, અને દરેક અંગો પર સંપૂર્ણ પાણી નાખે અને કોઈ અંગને સૂકો ન છોડે, ફરી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે), તો તેના માટે જન્નતના આઠેય દરવાજા ખોલી દેવામાં આવે છે, તે જ્યાંથી ઈચ્છે પ્રવેશ કરી શકે છે.
બીજી: જે વ્યક્તિ આ સંપૂર્ણ વઝૂ કરી, ફરી ઊભો થઈ, બે રકાઅત્ નમાઝ પઢે, સંપૂર્ણ નિખાલસતા અને ખુશૂઅ અને ખુઝૂઅ સાથે, અને દરેક અંગને ઈબાદતમાં ફક્ત અલ્લાહ માટે જ લગાવે, તો તેના માટે જન્નત વાજિબ (અનિવાર્ય) થઈ જાય છે.
પહેલી: જે વ્યક્તિ સારી રીતે વઝૂ કરે, અને તે વઝૂને દરેક સુન્નત તરીકા વડે પૂર્ણ કરે, અને દરેક અંગો પર સંપૂર્ણ પાણી નાખે અને કોઈ અંગને સૂકો ન છોડે, ફરી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે), તો તેના માટે જન્નતના આઠેય દરવાજા ખોલી દેવામાં આવે છે, તે જ્યાંથી ઈચ્છે પ્રવેશ કરી શકે છે.
બીજી: જે વ્યક્તિ આ સંપૂર્ણ વઝૂ કરી, ફરી ઊભો થઈ, બે રકાઅત્ નમાઝ પઢે, સંપૂર્ણ નિખાલસતા અને ખુશૂઅ અને ખુઝૂઅ સાથે, અને દરેક અંગને ઈબાદતમાં ફક્ત અલ્લાહ માટે જ લગાવે, તો તેના માટે જન્નત વાજિબ (અનિવાર્ય) થઈ જાય છે.
03
Benefits
અલ્લાહની મહાન કૃપા કે તે થોડા કામ કરવા પર પણ ભવ્ય બદલો અને સવાબ આપે છે.
સંપૂર્ણ અને સારી રીતે વઝૂ કરવું, અને ત્યારબાદ શાંતિપૂર્વક બે રકાઅત પઢવી જાઈઝ છે, અને તે કરવા પર ભવ્ય સવાબ મળે છે.
સંપૂર્ણ રીતે વઝૂ કરી, આ દુઆ પઢવી, જન્નતમાં દાખલ થવાનું કારણ છે.
અને જનાબતનું સ્નાન કરવાવાળા વ્યક્તિ માટે પણ આ દુઆ પઢવી જાઈઝ છે.
આ હદીષ દ્વારા સહાબાઓની ઇલ્મ શીખવા, શીખવવા અને તેનો પ્રચાર કરવાની ઉત્સુકતા, અને જીવનમાં તેમનો એક બીજા સાથે સહકાર પણ જોવા મળે છે.
વઝૂ કર્યા પછી આ દુઆ પઢવી એ દિલમાં નિખાલસતા પેદા કરવા અને તેને શિર્કથી પાક કરવા માટે છે, જેમકે વઝૂ શરીરને ગંદકી વગેરેથી પાક કરે છે.
સંપૂર્ણ અને સારી રીતે વઝૂ કરવું, અને ત્યારબાદ શાંતિપૂર્વક બે રકાઅત પઢવી જાઈઝ છે, અને તે કરવા પર ભવ્ય સવાબ મળે છે.
સંપૂર્ણ રીતે વઝૂ કરી, આ દુઆ પઢવી, જન્નતમાં દાખલ થવાનું કારણ છે.
અને જનાબતનું સ્નાન કરવાવાળા વ્યક્તિ માટે પણ આ દુઆ પઢવી જાઈઝ છે.
આ હદીષ દ્વારા સહાબાઓની ઇલ્મ શીખવા, શીખવવા અને તેનો પ્રચાર કરવાની ઉત્સુકતા, અને જીવનમાં તેમનો એક બીજા સાથે સહકાર પણ જોવા મળે છે.
વઝૂ કર્યા પછી આ દુઆ પઢવી એ દિલમાં નિખાલસતા પેદા કરવા અને તેને શિર્કથી પાક કરવા માટે છે, જેમકે વઝૂ શરીરને ગંદકી વગેરેથી પાક કરે છે.
Attribution
[આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares

