અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: «અઊઝુબિલ્લાહિલ્ અઝીમ, વબિવજ્હિહિલ્ કરીમ, વસુલ્તાનિહિલ્ કદીમ, મિનશ્ શૈતાનિર્ રજીમ
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાત) રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: «અઊઝુબિલ્લાહિલ્ અઝીમ, વબિવજ્હિહિલ્ કરીમ, વસુલ્તાનિહિલ્ કદીમ, મિનશ્ શૈતાનિર્ રજીમ» (અર્થ: હું ધૃતકારેલા શૈતાનથી મહાન અલ્લાહ, તેના સન્માનિત ચહેરા, અને તેની પ્રાચીન સત્તા દ્વારા શરણમાં આવું છું), પૂછવામાં આવ્યું: શું આટલું જ કહેવામાં આવ્યું હતું, તેમણે કહ્યું: હાં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: બસ જ્યારે કોઈ વ્યક્તિ (મસ્જિદમાં પ્રવેશ કરતાં પહેલા) આ દુઆ પઢે છે, તો શૈતાન કહે છે કે આ વ્યક્તિ આખો દિવસ મારાથી સુરક્ષિત રહેશે.
Explanation
બસ જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થતી વખતે આ દુઆ પઢે; તો શૈતાન કહે છે કે ખરેખર આ વ્યક્તિએ પોતાના નફ્સને મારાથી સંપૂર્ણ દિવસ અને રાતના સમય માટે સુરક્ષિત કરી લીધો.
Benefits
શૈતાન વિષે ચેતવણી; કારણકે તે પોતાની ગુમરાહી અને પથભ્રરષ્ટતા દ્વારા એક મુસલમાનને ભટકાવે છે અને ગુમરાહ કરે છે.
માનવી ,અલ્લાહ પર ઈમાન અને આ દુઆને સતત પઢવાથી શૈતાનના ફિતનાથી સુરક્ષિત રહેશે, જ્યાં સુધી તે અલ્લાહએ આપેલ વચન પર યકીન ધરાવે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

