હે બાળક! હું તને કેટલીક (જરૂરી) વાતો શીખવાડવુ છું (તેને યાદ રાખજે): તું અલ્લાહના (આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કર, અલ્લાહ તારી રક્ષા કરશે, અલ્લાહના (અધિકારો)ની રક્ષા કર, તો તું તેને પોતાની સામે જોશો, જ્યારે તું કોઈ વસ્તુ માંગે તો ફક્ત અલ્લાહ પાસે જ માંગ, જ્યારે તને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ અબ્બાસ અબ્દુલ્લાહ બિન્ અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે હું એક દિવસે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે સવારી પર બેઠો હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે બાળક! હું તને કેટલીક (જરૂરી) વાતો શીખવાડવુ છું (તેને યાદ રાખજે): તું અલ્લાહના (આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કર, અલ્લાહ તારી રક્ષા કરશે, અલ્લાહના (અધિકારો)ની રક્ષા કર, તો તું તેને પોતાની સામે જોશો, જ્યારે તું કોઈ વસ્તુ માંગે તો ફક્ત અલ્લાહ પાસે જ માંગ, જ્યારે તને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ, અને એક વાત સારી રીતે જાણી લે કે દરેક લોકો ભેગા થઈ તને કોઈ ફાયદો પહોંચાડવા ઈચ્છે, તો તેઓ તને તેના કરતાં વધારે ફાયદો પહોંચાડી શકતા નથી, જેટલો અલ્લાહએ તારા માટે લખી દીધો છે, અને જો તે લોકો તને નુકસાન પહોંચાડવા માટે ભેગા થઈ જાય તો તેઓ તને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન અલ્લાહએ તારા માટે લખી દીધું હોય, કલમ ઉપાડી લેવામાં આવી અને સહિફા (પુસ્તકો) સુકાઈ ગયા છે». જ્યારે કે તિર્મિઝી સિવાય બીજી એક રિવાયતમાં છે: «તું અલ્લાહના અધિકારો)નો ખ્યાલ કર, તું તેને પોતાની સામે જોઇશ, તું ખુશીમાં અલ્લાહને ઓળખ, અને તેની તરફ ધ્યાન કર, તે તારો કઠિનતામાં ખ્યાલ કરશે, અને જાણી લે, જે કંઈ તને નથી મળ્યું તે તને મળવાનું ન હતું, અને જે કંઈ તને મળ્યું છે, તે તારી પાસેથી જવાનું ન હતું, જાણી લે, અલ્લાહની મદદ સબર કરવા પર છે, વિપુલતા તકલીફ સાથે છે અને તકલીફ સાથે સરળતા પણ છે».
Explanation
Benefits
અલ્લાહ પોતાના બંદાઓને બદલો તે પ્રમાણે જ આપે છે જેવો તે અમલ કરે છે.
ફક્ત અલ્લાહ પર જ ભરોસો કરવાની શિક્ષા આપવી જોઈએ અને તેના સિવાય કોઈના પર ભરોસો કરવામાં ન આવે, અને તે ઉત્તમ કારસાજ છે.
અલ્લાહના નિર્ણય તથા તકદીર પર ઈમાન અને તેનાથી ખુશ રહેવું અને તે વાતનો ઉલ્લેખ કે અલ્લાહ તઆલા એ દરેક વસ્તુનો નિર્ણય પહેલાથી જ કરી લીધો છે.
જે અલ્લાહના આદેશોને વ્યર્થ કરશે તો અલ્લાહ પણ તેને વ્યર્થ કરશે, અને તે તેની રક્ષા નહીં કરે.
એક ભવ્ય ખુશખબર કે જ્યારે માનવી પર મુશ્કેલ સમય આવે, તો તે સરળતાની રાહ જુએ.
પ્રિય વસ્તુ ગુમાવવા પર તેમજ મુશ્કેલ સમયમાં બંદાઓને દિલાસો આપવો જોઈએ, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ આદેશમાં છે: «જાણી લો જે વસ્તુ તમને નથી મળી તે તમને મળવાની ન હતી અને જે વસ્તુ તમને મળી છે તે તમારાથી ગુમ ન થાત પરંતુ તમને મળીને જ રહેશે», પહેલા વાક્યમાં તકલીફ પહોંચવા પર અને બીજા વાક્યમાં પ્રિય વસ્તુ ગુમાવવા પર દિલાસો આપ્યો છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

