સર્વશ્રેષ્ઠ અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાન મને તકલીફ આપે છે, તે જમાનાને ગાળો આપે છે, જ્યારે કે હું જ જમાનો છું, મારા જ હાથમાં બધું છે, હું જ રાત અને દિવસને ફેરવું કરું છું
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સર્વશ્રેષ્ઠ અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાન મને તકલીફ આપે છે, તે જમાનાને ગાળો આપે છે, જ્યારે કે હું જ જમાનો છું, મારા જ હાથમાં બધું છે, હું જ રાત અને દિવસને ફેરવું કરું છું».
Explanation
Benefits
અલ્લાહ તઆલાનું સંપૂર્ણ સન્મામ કરવું જોઈએ, પોતાની વાતો વડે પણ અને અકીદહ વડે પણ.
તકદીર પર ઇમાન લાવવું જરૂરી છે, અને આવતી તકલીફ પર સબર કરવી જોઈએ.
તકલીફ નુકસાનથી અલગ છે; કોઈ વ્યક્તિને કોઈ અપ્રિય વસ્તુ સાંભળી કે જોઈને તકલીફ થઈ શકે છે, પરંતુ તેનાથી તેને નુકસાન થઈ શકતું નથી, તેવી જ રીતે, કોઈ વ્યક્તિને ડુંગળી કે લસણ જેવી દુર્ગંધથી નુકસાન થઈ શકે છે, પરંતુ તેનાથી તેને ખરેખર નુકસાન થતું નથી.
ઉચ્ચ અલ્લાહ તઆલાને તેના બંદાઓના કેટલાક કાર્યો વડે તકલીફ પહોંચે છે, પરંતુ ખરેખર તેને કંઈ જ નુકસાન પહોંચતું નથી, જેવું કે હદીષે કુદસીમાં અલ્લાહ તઆલાએ કહ્યું: «હે મારા બંદાઓ! તમે મને નુકસાન પહોંચાડવાની શક્તિ નથી ધરાવતા કે તમે મને નુકસાન પહોંચાડી શકો અને તે જ રીતે તમે મને ફાયદો પહોંચાડવાની પણ શક્તિ નથી ધરાવતા કે તમે મને ફાયદો પહોંચાડી શકો».
જમાનાને ગાળો આપવી અને લઅનત કરવાના ત્રણ પ્રકાર છે: ૧- જમાનાને એ સમજીને ગાળો આપવી કે જે કરે છે કે તે જમાનો જ કરે છે, તે જ ભલાઇ અને બુરાઈને ફેરવી નાખે છે, આવું સમજવું શિર્કે અકબર છે; કારણકે એમ સમજવામાં આવે છે કે અલ્લાહ સિવાય કોઈ અન્ય પેદા કરનાર છે અને તે દુનિયામાં થતી ઘટનાઓને અલ્લાહ સિવાય અન્ય સાથે સંબંધિત કરે છે. ૨- એમ સમજ્યા વગર જમાનાને ગાળો આપવી કે કર્તા તે નથી; પરંતુ અલ્લાહ જ દરેક કાર્યની વ્યવસ્થા કરનાર છે, તો પણ તેને ગાળો આપવી જ ગણવામાં આવશે; કારણકે તે એક ખોટી વાત કરી રહ્યો છે, જે હરામ છે. ૩- તેને કંઈ પણ સમજ્યા વગર કહેવું, એ જાઈઝ છે, લૂત અલૈહિસ્સ સલામની વાત કુરઆનમાં નકલ કરવામાં આવી: {અને કહેવા લાગ્યા કે આજનો દિવસ મોટી મુસીબતનો છે}.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

