જે વ્યક્તિ આપણી જેમ નમાઝ પઢે છે, આપણાં કિબલા તરફ મોઢું કરે છે, આપણું ઝબેહ કરેલું જાનવર ખાઈ છે, તે મુસલમાન છે, તે અલ્લાહની શરણમાં છે, તેના પયગંબરની શરણમાં છે, તેથી અલ્લાહની સુરક્ષાનો ભંગ કરી દગો ન કરો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ આપણી જેમ નમાઝ પઢે છે, આપણાં કિબલા તરફ મોઢું કરે છે, આપણું ઝબેહ કરેલું જાનવર ખાઈ છે, તે મુસલમાન છે, તે અલ્લાહની શરણમાં છે, તેના પયગંબરની શરણમાં છે, તેથી અલ્લાહની સુરક્ષાનો ભંગ કરી દગો ન કરો».
Explanation
Benefits
લોકોના કાર્યોનો નિર્ણય બાહ્ય દ્રષ્ટિકોણથી થાય છે, છુપાયેલી દ્રષ્ટિકોણથી નહીં; તેથી જે કોઈ બાહ્ય રીતે ઇસ્લામના પ્રતીકોને જાહેર કરે, તેને મુસ્લિમ ગણવામાં આવે, સિવાય કે તેનાથી વિરુદ્ધ કંઈ સ્પષ્ટ થાય.
ઈમામ ઈબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: કિબલા તરફ મોઢું કરવાનું વર્ણન કરી જાણવા મળ્યું કે મુસલમાનો માટે જે નમાઝ તેમના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઉતારવામાં આવી છે, તેમાં કિબલા તરફ મોઢું કરવું અનિવાર્ય છે, તેથી જે વ્યક્તિ બૈતુલ્ મક્દિસ તરફ નમાઝ પઢે, જેમકે યહૂદી, તેમનો રદ થાય પછી પણ કરે છે અથવા પૂર્વ તરફ જેમકે ઈસાઈઓ કરે છે, તે મુસલમાન નથી, ભલેને તેઓ તૌહીદની સાક્ષી આપે.
આ હદીષ નમાઝમાં કિબલા તરફ મોઢું કરવા માટે મહાન પુરાવો છે; કારણકે નમાઝની અન્ય કોઈ શરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેમકે પવિત્રતા વગેરે.
ઈમામ ઇબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં મુસલમાનોને ઝબેહ કરેલ જાનવરને ખાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેના દ્વારા જાણવા મળે છે કે તે દરેક જાહેર નિયમોનું પાલન કરનાર હોય, જેમાં સૌથી મહાન મુસલમાનોના ઝબેહ કરેલ જાનવરને ખાવાની વાત છે, અર્થાત્ તેનાથી સહમતી છે, જે વ્યક્તિ તેનાથી દૂર રહે તે મુસલમાન નથી.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

