મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે તેમણે પેશાબ કરી, ફરી વઝૂ કર્યું અને પોતાના મોજા પર મસહ કર્યો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઈબ્રાહીમ નખઈ વર્ણન કરે છે કે હમ્મામ બિન્ હારિષએ કહ્યું: જરીરે એક વખત પેશાબ કરી, ફરી વઝૂ કર્યું, અને ચામડાના મોજા પર મસહ કર્યો, એક વ્યક્તિએ તેમને કહ્યું: શું તમે ખરેખર આમ કર્યું, તો તેમણે કહ્યું: હા, મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે તેમણે પેશાબ કરી, ફરી વઝૂ કર્યું અને પોતાના મોજા પર મસહ કર્યો. અઅમશે કહ્યું: ઈબ્રાહીમ નખઈએ કહ્યું: તેમને આ હદીષ યોગ્ય લાગી; કારણકે જરીર સૂરે માઈદહના ઉતર્યા પછી ઇસ્લામ લાવ્યા હતા.
Explanation
Benefits
ઈમામ નાવવી રહિમહુલ્લાહએ કહ્યું: દરેક વિશ્વસનીય વિદ્વાનો આ વાત પર સહમત છે કે મોજા પર મસહ કરવો માન્ય છે, પછી ભલે તે મુસાફરી કરતી વખતે હોય કે ઘરે જરૂરિયાત માટે હોય કે અન્ય કોઈ કારણસર, તે એવી સ્ત્રી માટે પણ માન્ય છે, જે પોતાના ઘરમાં હોય અથવા જે ચાલી શકતી ન હોય.
જરીર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુની એક ખૂબી હતી કે તેઓ વ્યાપક વિચારધારક હતા, તેઓ પોતાના વિદ્યાર્થીઓના ઇન્કારને સહન કરતા હતા, ભલે તેઓ તેમાં ખોટા હોય.
જે લોકો મોજા પર મસો કરવાને નકારે છે અને દાવો કરે છે કે તે રદ થઇ ચુક્યું છે; તેમનું આ હદીષમાં ખંડન કરવામાં આવ્યું છે; કારણકે જરીર બિન્ અબ્દુલ્લાહની હદીષ વઝૂની આયત પછી આવી હતી.
જો કોઈ વ્યક્તિ કોઈ વાતને નકારે અને એવું સમજે કે તે પોતાના મંતવ્યમાં સાચો છે, તો તેના પર ગુસ્સો કરવામાં ન આવે અને ન તો તેના મંતવ્ય પર ચર્ચા કરવામાં આવે, પરંતુ તેને આ વિષયમાં પુરાવા સાથે સારી રીતે સમજ આપવામાં આવે.
જરૂરત વખતે ઈતિહાસને ટાંકી દલીલ લઇ શકાય છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

