દરેક પયગંબરને અલ્લાહ તઆલાએ કંઈક ને કંઈક મુઅજિઝો જરૂર આપ્યો છે, અને તે પ્રમાણે ઘણા લોકો તેના પર ઈમાન લાવ્યા
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક પયગંબરને અલ્લાહ તઆલાએ કંઈક ને કંઈક મુઅજિઝો જરૂર આપ્યો છે, અને તે પ્રમાણે ઘણા લોકો તેના પર ઈમાન લાવ્યા, અને અલ્લાહ તઆલાએ મારા પર એક એવી કિતાબ (કુરઆન મજીદ) ઉતારી છે, જે દરેક મુઅજિઝહ કરતા વધારે મોટો મુઅજિઝહ છે અને મને આશા છે કે મારા અનુસરણ કરનારની સંખ્યા ક્યામતના દિવસે સૌથી વધારે હશે».
Explanation
Benefits
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આપવામાં આવેલ મહાન મુઅજિઝાનું વર્ણન.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દરજ્જાનું વર્ણન કે આપને દરેક પયગંબરો પર શ્રેષ્ઠતા આપવામાં આવી છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ આપના આ આદેશ વિશે કહ્યું: "અને મને જે આપવામાં આવ્યું છે તે દરેક મુઅજિઝા કરતા સૌથી મહાન મુઅજિઝો છે, જે મારા તરફ વહી કરવામાં આવે છે": તેનો હેતુ તેમના ચમત્કારને મર્યાદિત રાખવાનો નથી, કે તેમને તે ચમત્કારો આપવામાં આવ્યા ન હતા, જે તેમના પહેલાના લોકોને આપવામાં આવ્યા હતા, પરંતુ તેનો હેતુ એ છે કે તે સૌથી મોટો ચમત્કાર છે, જેના દ્વારા તેઓ અન્ય લોકોથી અલગ છે.
ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: “(મને આશા છે કે મારા અનુયાયીઓ સૌથી વધુ હશે) તે નબુવ્વતની નિશાની છે; કારણ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાતની જાણ એવા સમયે કરી જ્યારે મુસ્લિમો ઓછા હતા, ફરી સર્વશક્તિમાન અલ્લાહએ મુસ્લિમો પર પોતાની કૃપા કરી અને તેમના પર કૃપા કરી, જ્યાં સુધી આ મામલો પૂર્ણ ન થયો અને મુસ્લિમોમાં આ મામલો જાણીતા અંત સુધી વિસ્તર્યો, દરેક પ્રકારની પ્રશંસા ફક્ત એક અલ્લાહ માટે જ છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

