નિઃશંક તમારા કરતા હું સૌથી વધુ અલ્લાહથી ડરુ છું અને સૌથી વધારે તેને જાણું છું
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ કાર્યનો આદેશ આપતા તો એટલો જ આપતા જેટલો લોકો કરી શકતા હોય, સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે તો તમારા જેવા નથી, (તમે તો નિર્દોષ છો) અલ્લાહએ તમારા આગળના અને પાછળના બધા ગુનાહ માફ કરી દીધા છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા, અહીં સુધી કે ગુસ્સો અમે તેમના ચહેરા પર જાહેર થતા જોયો, અને પછી કહ્યું: «નિઃશંક તમારા કરતા હું સૌથી વધુ અલ્લાહથી ડરુ છું અને સૌથી વધારે તેને જાણું છું».
Explanation
Benefits
સદાચારી માણસે પોતાની ભલાઈના આધારે મહેનત છોડવી જોઈએ નહીં.
જરૂર વખતે વ્યક્તિ પોતાના ગુણો વિશે વાત કરી શકે છે, જો તેને બડાઈ કે ઘમંડનો ડર ન હોય.
ઈબાદત કરવાનો પહેલો સિદ્ધાંત નિયત છે અને તેને હંમેશા કરવામાં આવે, અતિશયોક્તિ નહીં જે ત્યાગ તરફ દોરી જાય છે.
ઈમામ ઇબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: જ્યારે કોઈ બંદો ઇબાદત અને તેના સિદ્ધાંતોમાં અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જાય, ત્યારે આ તેને તેમાં દ્રઢ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી નેઅમતને જાળવી રાખવા અને તેના માટે આભાર વ્યક્ત કરી તેમાં વધારો કરી શકાય છે.
શરીઅતના આદેશનું ઉલ્લંઘન થાય ત્યારે ગુસ્સો કરી શકાય, અને જો કોઈ આદેશ વિશે ખબર ન પડતી હોય તો તેનો અર્થ સમજવા માટે લાયક અને કુશળ વ્યક્તિને સજાગ કરવા માટે ઠપકો આપવો.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની ઉમ્મત પ્રત્યે ખૂબ જ દયાળુ છે, અને એ કે દીન ખૂબ જ સરળ છે, તેમજ શરીઅત એક પ્રામાણિક માર્ગ છે.
ઈબાદતમાં સહાબાઓની ઉત્સુકતા, વધુમાં વધુ ભલાઈ કરવાની તીવ્રતા.
શરીઅત દ્વારા નક્કી કરાયેલી મર્યાદાઓનું પાલન કરવું અને એવું માનવું કે શરીઅતને અનુરૂપ સરળ વિકલ્પ અપનાવવો તે વધુ મુશ્કેલ વિકલ્પ કરતાં વધુ સારું છે, જે તેનો વિરોધાભાસ કરે છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

