અલ્લાહ તઆલાએ (ઇસ્લામનું) ઉદાહરણ સિરાતે મુસ્તકીમ (સાચો માર્ગ) દ્વારા આપ્યું છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
નવ્વાસ બિન સમઆન અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ (ઇસ્લામનું) ઉદાહરણ સિરાતે મુસ્તકીમ (સાચો માર્ગ) દ્વારા આપ્યું છે, જેની બંને બાજુ બે દીવાલો છે, તે દીવાલોમાં બે અલગ લગ દરવાજાઓ છે અને દરેક દરવાજા પર પડદા પડેલા છે, એક પોકારવાવાળો તે માર્ગની શરૂઆતમાં ઉભો રહી પોકારી રહ્યો છે, હે લોકો ! તમે દરેક આ માર્ગ પર આવી જાવ, અને ઊંધા માર્ગ પર ન જાઓ, જ્યારે કોઈ વ્યક્તિ તે દરવાજાનો કોઈ પડદો ખોલવાની ઈચ્છા કરે છે તો તેના પર પોકારવાવાળો વ્યક્તિ કહે છે, તારા માટે નષ્ટતા છે, તું આ પડદો ન ખોલ, જો તું ખોલી નાખીશ તો અંદર દાખલ થઈ જઈશ, (અહીંયા સિરાતનો અર્થ) ઇસ્લામ છે અને બન્ને દિવારો અલ્લાહે નક્કી કરેલ હદ છે, અને જે ખુલ્લા દરવાજા છે: તે અલ્લાહ એ હરામ કરેલી વસ્તુઓ છે, અને તે પોકારવાવાળો જે માર્ગની શરૂઆત પર પોકારી રહ્યો છે: તે અલ્લાહની કિતાબ (કુરઆન મજીદ) છે, અને માર્ગની ઉપર પોકારવાવાળો: દરેક મુસલમાનના દિલમાં રહેલ નસીહત કરવાવાળો છે».
Explanation
Benefits
અલ્લાહની હદને જાણવી જરૂરી છે, જે કઈ હલાલ છે અને જે કઈ હરામ છે, અને જે કોઈ તેમાં સહેજ પણ આળસ કરશે તો નષ્ટતામાં પડી જશે.
કુરઆન મજીદની મહત્ત્વતા અને તેના પર અમલ કરવાની તાકીદ, તેમાં જ હિદાયત, નૂર અને સફળતા છુપાયેલી છે.
બંદાઓ પર અલ્લાહની રહેમત અને દયા કે તેણે મોમિનના હૃદયમાં જે કંઇ છુપાવીને રાખ્યું છે, તે જ તેને નષ્ટતાથી બચાવે છે અને સચેત કરે છે.
અલ્લાહ તઆલા એ પોતાના બંદાઓ માટે નષ્ટતામાં પડવાથી બચવા માટે સ્ત્રોત બનાવ્યા.
તાલિમ આપવાનો એક તરીકો કે વાત સ્પષ્ટ કરવા માટે ઉદાહરણ આપી સમજાવી શકાય છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

