નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: હું આપ ﷺ સાથે ગધેડા પર પાછળ સવારી કરી રહ્યો હતો, આપ ﷺ એ કહ્યું: «હે મઆઝ શું તમે જાણો છો કે અલ્લાહનો હક તેના બંદાઓ પર શું છે? અને બંદાઓના હક અલ્લાહ પર શુ છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે», મેં કહ્યું: કે હે અલ્લાહ ના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? આપ ﷺ એ કહ્યું: «તમે તેમને ખુશખબરી ન આપો, ફરી તેઓ ફક્ત ઈમાન પર જ ભરોસો કરી લેશે».
Explanation
Benefits
આ હદીષમાં નબી ﷺ એ બંદાઓના તે હકો જે અલ્લાહએ પોતાના પર કૃપા અને નેઅમત રૂપે ફરજ કર્યા છે તેને પણ વર્ણન કર્યા છે તે એ કે અલ્લાહ તેમને જન્નતમાં દાખલ કરે અને તેમને અઝાબ ન આપે.
આ હદીષમાં એકેશ્વરવાદી (તૌહીદ પરસ્ત) લોકો માટે મહાન ખુશખબર છે, જે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નથી ઠેહરાવતા અને તેમનું ઠેકાણું જન્નત છે.
આ હદીષને મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુ પહેલા ઇલ્મ છુપાવવાના ગુનાહમાં સપડાવવાના ભયથી વર્ણન કરી દીધી.
આ હદીષમાં એક ચેતવણી આપવામાં આવી છે કે કેટલીક હદીષો કેટલાક લોકો સમક્ષ વર્ણન કરવામાં ન આવે કારણકે તેઓ તેનો અર્થ સમજી શકતા નથી, અને તેઓ એમ સમજશે કે કોઈ પણ અમલ કરવો જરૂરી નથી અને ન તો શરીઅતે કોઈ પણ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.
તૌહીદ વાળાઓનો મામલો અલ્લાહના હાથમાં છે, જો અલ્લાહ ઈચ્છે તો તેમને અઝાબ આપશે અને જો ઈચ્છે તો માફ કરી દેશે, છેવટે તેમને જન્નતમાં દાખલ કરી દે શે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

