HadeethEnc · 1.26.0
નબી ﷺને જ્યારે પણ કોઈ બે વસ્તુ માંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી હોય, તો જે સરળ હોય તે પસંદ કરતાં, જેમાં કોઈ ગુનોહ ન હોય, અને જો તેમાં કોઈ ગુનોહ હોતો, તો આપ ﷺ તેનાથી ખૂબ દૂર થઈ જતાં
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺને જ્યારે પણ કોઈ બે વસ્તુ માંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી હોય, તો જે સરળ હોય તે પસંદ કરતાં, જેમાં કોઈ ગુનોહ ન હોય, અને જો તેમાં કોઈ ગુનોહ હોતો, તો આપ ﷺ તેનાથી ખૂબ દૂર થઈ જતાં, અને અલ્લાહના પયગંબર મુહમ્મદ ﷺએ ક્યારે પણ પોતાન ફાયદા માટે કોઈની પાસે બદલો નથી લીધો, સિવાય એ કે જ્યારે કોઈ અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી દે, તો અલ્લાહ માટે તેની પાસે બદલો લેતા.
02
Explanation
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ નબી ﷺના કેટલાક આદર્શો વિષે જણાવ્યું કે જ્યારે પણ આપ ﷺને કોઈ બે વસ્તુ માંથી એક વસ્તુ પસંદ કરવી હોતી, તો સૌથી સરળ વસ્તુ પસંદ કરતાં, જ્યાં સુધી કોઈ સરળ કામમાં ગુનોહ ન હોતો, અને જો તેમાં કોઈ ગુનાહનું કોમ હોતું તેનાથી ખૂબ દૂર રહેતા અને તે સ્થિતિમાં કઠિન કાર્ય અપનાવતા. અને ક્યારેય પોતાન માટે કોઇની પાસેથી બદલો લીધો ન હતો, પરંતુ પોતાનો અધિકાર પણ છોડી દેતા હતા અને માફ કરી દેતા, પરંતુ જ્યારે કોઈ અલ્લાહએ નક્કી કરેલ હદને વટાવી જતો, તો તેની પાસેથી અલ્લાહ માટે બદલો લેતા, અને તે સમયે અલ્લાહ માટે લોકો કરતાં સૌથી વધુ ગુસ્સે થતાં.
03
Benefits
જો સરળ કાર્યમાં ગુનાહ ન હોય, તો તેને અપનાવવું જાઈઝ છે.
ઇસ્લામની સરળતાનું વર્ણન.
અલ્લાહ તઆલા માટે ગુસ્સે થવું જાઈઝ છે.
અલ્લાહએ નક્કી કરેલ હદો (મર્યાદા) ને લાગુ કરવામાં, નબી ﷺ સખત સહનશીલ, સબર અને સત્યનું અનુસરણ કરનારા હતા.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું; આ હદીષ દ્વારા તે વસ્તુને છોડવાની છૂટ મળે છે, જે કાર્ય અઘરું હોય, બસ સરળતા અપનાવી લેવી પૂરતી થઈ જશે, અને તે વસ્તુને છોડી દો, જે તમને મુશ્કેલીમાં નાખતી હોય.
અલ્લાહ તઆલાના અધિકારો સિવાય દરેક બાબતો દગુજર કરવા પર પ્રોત્સાહિત કર્યા છે.
ઇસ્લામની સરળતાનું વર્ણન.
અલ્લાહ તઆલા માટે ગુસ્સે થવું જાઈઝ છે.
અલ્લાહએ નક્કી કરેલ હદો (મર્યાદા) ને લાગુ કરવામાં, નબી ﷺ સખત સહનશીલ, સબર અને સત્યનું અનુસરણ કરનારા હતા.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું; આ હદીષ દ્વારા તે વસ્તુને છોડવાની છૂટ મળે છે, જે કાર્ય અઘરું હોય, બસ સરળતા અપનાવી લેવી પૂરતી થઈ જશે, અને તે વસ્તુને છોડી દો, જે તમને મુશ્કેલીમાં નાખતી હોય.
અલ્લાહ તઆલાના અધિકારો સિવાય દરેક બાબતો દગુજર કરવા પર પ્રોત્સાહિત કર્યા છે.
Attribution
[મુત્તફકુન્ અલયહિ]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares

