લોકોને શું થઈ ગયું છે તેઓ આમ આમ કહે છે? પરંતુ હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉં છું, અને હું રોઝા પણ રાખું છે ને તેને છોડી પણ દઉં છું, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જેણે મારી સુન્નતની અવજ્ઞા કરી તેનો મારી સાથે કોઈ સંબંધ નથી
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺના કેટલાક સહાબાઓ નબી ﷺની
કેટલીક પત્નીઓને નબી ﷺના ઘરના કાર્યો વિષે સવાલ કર્યો? (તેમની સ્થિતિ જાણી) કેટલાક લોકોએ કહ્યું: હું સ્ત્રી સાથે શાદી નહીં કરું, અને કેટલાક લોકોએ કહ્યું: હું મટન નહીં ખાઉં, અને કેટલાક લોકોએ કહ્યું: હું ગાદલાં પણ નહીં સૂઈ જાઉં, બસ જ્યારે આ વાત નબી
ﷺને પહોંચી તો કહ્યું: «લોકોને શું થઈ ગયું છે તેઓ આમ આમ કહે છે? પરંતુ હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉં છું, અને હું રોઝા પણ રાખું છે ને તેને છોડી પણ દઉં છું, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જેણે મારી સુન્નતની અવજ્ઞા કરી તેનો મારી સાથે કોઈ સંબંધ નથી».
Explanation
Benefits
આ શરીઅતની સંપૂર્ણતા અને સરળતા, કે નબી ﷺના કાર્યો અને માર્ગદર્શનને અપનાવવા.
નબી ﷺ અને તેમની શરીઅતનું અનુસરણ કરવામાં જ સંપૂર્ણ ભલાઈ અને બરકત છે.
તાકાત વગર પોતાને ઈબાદતમાં લગાવવા પર ચેતવણી, અને આ સ્થિતિ બિદઅતીઓની છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ઈબાદતમાં સખ્તી કરવી તે આળસનું કારણ બને છે, જે તેના પાયાને તોડી નાખે છે, અને જે વ્યક્તિ ફક્ત ફરજ કાર્યોમાં લાગેલો રહે છે અને નફિલ કાર્યો છોડી દે છે, તે તેમાં સુસ્તી અને અલાસ્ ઉત્પન કરે છે જેના કારણ તે ચુસ્ત થઈ ઈબાદત કરી શકતો નથી, અને સૌથી શ્રેષ્ઠ કાર્યો મધ્યમ કાર્યો છે.
આ હદીષ દ્વારા વરિષ્ઠ લોકોની સ્થિતિ જાણી તેમના અનુસરણ કરવાની મહત્ત્વતા જાણવા મળે છે, જો પુરુષો પાસેથી જાણવું અશક્ય હોય, તો સ્ત્રીઓ પાસેથી તેમના વિષે માહિતી મેળવી શકાય છે.
આ હદીષમાં નસીહત કરવા, ઇલ્મની બાબતોને વર્ણન કરવા, ધાર્મિક લોકોના આદેશો વર્ણન કરવા, અને દીન બાબતે મહેનત કરનાર લોકની શંકાઓને દૂર કરવી શામેલ છે.
ઈબાદતમાં નરમી અપનાવવી જોઈએ, અને તેની સુરક્ષા કરવાની સાથે સાથે ફરજ અને નફિલ ઈબાદતોની પણ સુરક્ષા કરવી જોઈએ, જેથી અન્ય મુસલમાનોના પણ અધિકારો પૂરા કરી શકાય.
આ હદીષમાં શાદીની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે અને તેના પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

