HadeethEnc · 1.26.0
કોઈ પણ મુસલમાન માટે યોગ્ય નથી કે તેની પાસે કોઈ વસ્તુ હોય, જેના વિષે તે વસીયત લખવા ઈચ્છતો હોય, અને તે વસીયત લખ્યા વિના બે રાતો પણ પસાર કરે
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કોઈ પણ મુસલમાન માટે યોગ્ય નથી કે તેની પાસે કોઈ વસ્તુ હોય, જેના વિષે તે વસીયત લખવા ઈચ્છતો હોય, અને તે વસીયત લખ્યા વિના બે રાતો પણ પસાર કરે», અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: «જ્યારથી મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વાત સાંભળી છે, ત્યારથી મારી એક પણ રાત વસીયતનામુ લખ્યા વિના પસાર નથી થઈ».
02
Explanation
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે કોઈ પણ મુસલમાન પાસે વસીયત કરવા માટે કોઈ મિલકત અથવા અધિકાર હોય, ભલે તે નાની હોય કે મોટી, તો તે ત્રણ રાતો કરતાં વધુ તે વસીયત લખ્યા વિના પસાર ન કરે. અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: જ્યારથી મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વાત સાંભળી છે ત્યારથી મારી એક પણ રાત વસીયતનામુ લખ્યા વિના પસાર નથી થઈ.
03
Benefits
વસીયત કરવાની યોગ્યતા અને તેને સ્પષ્ટ કરવામાં ઉતાવળ કરવી, આ વિષે શરીઅતના આદેશોનું પાલન કરવું, મોતની તૈયારી કરવી, તેનાથી વિચલિત ન થવું અને તેને ઉપયોગમાં લેતા પહેલા તેના વિષે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું.
વસીયત: તેનો અર્થ થાય છે વચન, તે એ કે માનવી પોતાના મૃત્યુ પછી પોતાના માલને અન્યને સોંપી, તેને ઉપયોગમાં લેવાની પરવાનગી આપે, અથવા તે કોઈ વ્યક્તિને પોતાના બાળકોની દેખરેખ માટે પોતાનો માલ આપે, અથવા તે પોતાના મૃત્યુ પછી બીજા વ્યક્તિને પોતાનો ધંધો સોંપી દે.
વસીયતના ત્રણ પ્રકાર છે: ૧- મુસ્તહબ (માન્ય) એક વસિયત એ કે કોઈના માલને ખેરાત અને ઉપકારના કામોમાં ફાળવવામાં આવે, જેથી તેના મૃત્યુ પછી તેને તેનો સવાબ અને બદલો મળતો રહે, ૨- વાજિબ (અનિવાર્ય) તે વસિયત કે જેમાં તેના પર લાગું પડતાં અધિકારોનો સમાવેશ થાય છે, પછી ભલેને તે અલ્લાહના અધિકારો કેમ ન હોય, જેમકે ઝકાત, જે તેણે કાઢી ન હોય, અથવા કોઈ ગુનાહનો કફ્ફારો (પ્રાયશ્ચિત), જે તેણે આપ્યો ન હોય, અથવા ઇસ્લામના નિયમ અનુસાર અન્ય જવાબદારીઓ, અથવા મનુષ્યોને લગતા અધિકારો, જેમકે દેવું, અમાનતનું ચુકવણી, ૩- હરામ (અયોગ્ય) તે વસિયત જે તેના માલ માંથી એક તૃતીયાંશ કરતાં વધુ કરવામાં, અથવા તેના માલમાં જેનો હક છે તેના માટે વસિયત કરવામાં આવે.
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની મહત્ત્વતા, નેકીના કાર્યોમાં તેમની ઉત્સુકતા અને શરીઅતના આદેશોનું પાલન કરવું.
ઈબ્ને દકીક અલ્ ઇદ રહિમહુલ્લાહએ કહ્યું: બે અથવા ત્રણ રાતો પરવાનગી આપવી તે મુશ્કેલી દૂર કરવા માટે છે.
મહત્વપૂર્ણ બાબતોનું લેખિતમાં દસ્તાવેજીકરણ કરવું જોઈએ; કારણ કે તે વધુ સચોટતા સુનિશ્ચિત કરે છે અને અધિકારોને વધુ અસરકારક રીતે સાચવે છે.
વસીયત: તેનો અર્થ થાય છે વચન, તે એ કે માનવી પોતાના મૃત્યુ પછી પોતાના માલને અન્યને સોંપી, તેને ઉપયોગમાં લેવાની પરવાનગી આપે, અથવા તે કોઈ વ્યક્તિને પોતાના બાળકોની દેખરેખ માટે પોતાનો માલ આપે, અથવા તે પોતાના મૃત્યુ પછી બીજા વ્યક્તિને પોતાનો ધંધો સોંપી દે.
વસીયતના ત્રણ પ્રકાર છે: ૧- મુસ્તહબ (માન્ય) એક વસિયત એ કે કોઈના માલને ખેરાત અને ઉપકારના કામોમાં ફાળવવામાં આવે, જેથી તેના મૃત્યુ પછી તેને તેનો સવાબ અને બદલો મળતો રહે, ૨- વાજિબ (અનિવાર્ય) તે વસિયત કે જેમાં તેના પર લાગું પડતાં અધિકારોનો સમાવેશ થાય છે, પછી ભલેને તે અલ્લાહના અધિકારો કેમ ન હોય, જેમકે ઝકાત, જે તેણે કાઢી ન હોય, અથવા કોઈ ગુનાહનો કફ્ફારો (પ્રાયશ્ચિત), જે તેણે આપ્યો ન હોય, અથવા ઇસ્લામના નિયમ અનુસાર અન્ય જવાબદારીઓ, અથવા મનુષ્યોને લગતા અધિકારો, જેમકે દેવું, અમાનતનું ચુકવણી, ૩- હરામ (અયોગ્ય) તે વસિયત જે તેના માલ માંથી એક તૃતીયાંશ કરતાં વધુ કરવામાં, અથવા તેના માલમાં જેનો હક છે તેના માટે વસિયત કરવામાં આવે.
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની મહત્ત્વતા, નેકીના કાર્યોમાં તેમની ઉત્સુકતા અને શરીઅતના આદેશોનું પાલન કરવું.
ઈબ્ને દકીક અલ્ ઇદ રહિમહુલ્લાહએ કહ્યું: બે અથવા ત્રણ રાતો પરવાનગી આપવી તે મુશ્કેલી દૂર કરવા માટે છે.
મહત્વપૂર્ણ બાબતોનું લેખિતમાં દસ્તાવેજીકરણ કરવું જોઈએ; કારણ કે તે વધુ સચોટતા સુનિશ્ચિત કરે છે અને અધિકારોને વધુ અસરકારક રીતે સાચવે છે.
Attribution
[મુત્તફકુન્ અલયહિ]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares

