જે વ્યક્તિની બે પત્નીઓ હોય, અને તે એક જ પત્ની તરફ ઝૂકી ગયો, તો તે કયામતના દિવસે તે સ્થિતિમાં આવશે કે તેનો એક ભાગ ઝૂકેલો હશે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિની બે પત્નીઓ હોય, અને તે એક જ પત્ની તરફ ઝૂકી ગયો, તો તે કયામતના દિવસે તે સ્થિતિમાં આવશે કે તેનો એક ભાગ ઝૂકેલો હશે».
Explanation
Benefits
રાતની વહેંચણી કરવી અને અન્ય બીજી બાબતોમાં બરાબરી કરવી, માનવી જેમાં શક્તિ ધરાવતો હોય, પરંતુ જે બાબતે શક્તિ ધરાવતો ન હોય, જેમકે મોહબ્બત અને દિલનું એક પત્ની તરફ ઝુકવું, તે વસ્તુ આ હદીષના સંદર્ભમાં શામેલ નથી, અને આ જ હેતુ અલ્લાહ તઆલાની આયતમાં છે: {તમારાથી એવું તો ક્યારેય નહીં થઇ શકે કે પોતાની દરેક પત્નીઓમાં દરેક રીતે ન્યાય કરો} [અન્ નિસા: ૧૨૯].
બદલો તેના અમલ કરવાની ક્ષમતા પ્રમાણે આપવામાં આવે છે, બસ જ્યારે માનવી દુનિયામાં એક પત્નીને છોડી બીજી પત્ની તરફ ઝૂકી જાય તો તે કયામતના દિવસે એવી સ્થિતિમાં આવશે કે તેના શરીરનો એક ભાગ એક તરફ ઝૂકેલો હશે.
બંદાઓના અધિકારોની મહત્ત્વતા, અને તેમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે; કારણકે તે અછત અને તપાસ પર આધારિત છે.
ફક્ત એક જ પત્ની રાખવી પુરુષ માટે જાઈઝ છે, જો તે બે સ્ત્રીઓ વચ્ચે ન્યાય ન કરી શકતો હોય, કારણકે તે દીનની બેદરકારીમાં સપડાઈ શકે છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {પરંતુ જો તમને ન્યાય ન કરવાનો ભય હોય તો એક જ પુરતી છે} [અન્ નિસા: ૩].
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

