કયામતના દિવસે લોકોને ચપ્પલ વગર, નગ્ન, પોશાક વગર અને ખતના કર્યા વગર ઉઠાવવામાં આવશે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કયામતના દિવસે લોકોને ચપ્પલ વગર, નગ્ન, પોશાક વગર અને ખતના કર્યા વગર ઉઠાવવામાં આવશે» મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! સ્ત્રીઓ અને પુરુષો એક સાથે હશે, તો એકબીજાને જોશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે આયશ! ત્યાં પરિસ્થિતિ એટલી ગંભીર હશે કે કોઈને કોઈની સામે જોઈ શકશે નહીં જોવાની નહિ પડી હોય».
Explanation
Benefits
આ હદીષમાં તે વાતની પુષ્ટિ કે માનવી ફક્ત બેદરકારીની સ્થિતિમાં જ પાપ કરે છે; કારણકે તે જેની અવજ્ઞા કરી રહ્યો છે તેની મહાનતા અને તે પાપની સજાને યાદ કરે તો તે ઝિક્ર કરવા, શુક્ર કરવા, સારી ઈબાદત કરવા પ્રત્યે આંખ ઝપકાવા બરાબર પર આળસ નહીં કરે, કારણકે લોકો કયામતના દિવસે વ્યસ્ત હશે, અને એકબીજા તરફ નજર પણ નહીં કરે.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયગાળામાં સ્ત્રીઓની અત્યંત લજ્જા અને શરમનું વર્ણન, કારણકે આયશા રઝી અલ્લાહુ અન્હાએ પૂછપરછ કરી, જ્યારે તેમણે સાંભળ્યું કે સ્ત્રીઓ અને પુરુષોને કયામતના દિવસે નગ્ન સ્થિતિમાં એકઠા કરવામાં આવશે.
ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: દરેલ લોકો પોતાની બાબતમાં જ વ્યસ્ત હશે, કોઈને પણ પોતાના ભાઈની સ્થિતિ વિશે પણ જાણ નહીં હોય, અલ્લાહ તઆલાએ કહ્યું: {તે દિવસે દરેક વ્યક્તિની એવી પરિસ્થિતિ હશે, જે તેને (બીજાથી) અળગો કરી દેશે} [અબસ: ૩૭], જેથી કોઈ પણ કોઈના ગુપ્તાંગ તરફ નહીં જુએ.
અલ્ ખિતાન: જે પુરુષો માટે હોય છે: શિશ્નના ઉપરના ભાગની ચામડી કપવી, સ્ત્રી માટે: કૂકડાની કલગીની માફક પ્રવેશ દ્વારના સ્થળની ઉપરની ત્વચાને કાપવી.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

