જે વ્યક્તિએ પોતાના ભાઈની આબરૂ અથવા બીજી કોઈ વસ્તુમાં અધિકાર બાબતે ખોટું કર્યું હોય, તો તે આજે જ તેની પાસે માફી માંગી લે, તે દિવસ આવતા પહેલા જે દિવસે ન તો તેની પાસે દીનાર હશે અને ન તો દિરહમ
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ પોતાના ભાઈની આબરૂ અથવા બીજી કોઈ વસ્તુમાં અધિકાર બાબતે ખોટું કર્યું હોય, તો તે આજે જ તેની પાસે માફી માંગી લે, તે દિવસ આવતા પહેલા જે દિવસે ન તો તેની પાસે દીનાર હશે અને ન તો દિરહમ, કદાચ તેની પાસે કોઈ સારા કર્મ હશે, તો તે પીડિતને આપી દેવામાં આવશે અને જો તેની પાસે નેકીઓ નહીં હોય, તો જેના પર તેણે જુલમ કર્યો હશે તેના ગુનાહ તેના પર લાદવામાં આવશે».
Explanation
Benefits
આ હદીષમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું કે લોકોએ પોતાના પર અન્ય લોકોના બાકી રહેલ અધિકારોથી પોતાને મુક્ત કરવામાં પહેલ કરવી જોઈએ.
લોકો પર અન્યાય અને નુકસાનને કારણે સત્કાર્યો બગડે છે અને તેનાથી થતો સવાબ નષ્ટ થઇ જાય છે.
લોકોના હક અલ્લાહ દ્વારા ત્યાં સુધી માફ કરવામાં આવતા નથી જ્યાં સુધી જેનો હક છે તેને આપી દેવામાં ન આવે.
દિનાર અને દિરહમ આ દુનિયામાં લાભ મેળવવાનું સાધન છે, પરંતુ કયામતના દિવસે તે સારા અને ખરાબ કાર્યો જ છે.
કેટલાક આલિમોએ સન્માનના મુદ્દા અંગે કહ્યું: જો જેની સાથે અન્યાય થયો હોય તેને ખબર ન હોય, તો તેને જાણ કરવાની કોઈ જરૂર નથી, જેમ કે તેણે કોઈ સભામાં તેનું અપમાન કર્યું હોય અને બદનામ કર્યો હોય, તેને જાણ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ તેણે તેના માટે માફી માંગવી જોઈએ, તેના માટે દુઆ કરવી જોઈએ, અને જે સભાઓમાં તે તેનું અપમાન કરતો હતો, ત્યાં તેના વિશે સારું બોલવું જોઈએ, અને આ રીતે તે તેના પાપથી મુક્ત થઈ જશે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

