એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: નબી ﷺ પોતાના સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલાથી રિવાયત કરતાં કહે છે: «એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી કહે છે: હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી પાછો કહે છે, હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે,તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે , મેં મારા બંદાને માફ કરી દીધો, તે જે ઈચ્છે, તે કરે».
Explanation
Benefits
પોતાના પાલનહાર પર ઈમાન ધરાવનાર વ્યક્તિ પોતાના પાલનહારથી માફીની આશા રાખે છે, અને તેનીથી પણ સજાથી ડરે છે, એટલા માટે સતત ગુનાહ કરવાની જગ્યાએ જલ્દી તૌબા કરી લે છે.
સાચી તૌબા માટેની શરતો: ગુનાહ કરવાનું છોડી દેવુ, તેના પર અફસોસ થવો અને તેને ફરી ન કરવાનો મક્કમ ઈરાદો કરવો, અને જો ગુનાહનો સબંધ કોઈ બંદા સાથે હોય, જેવું કે કોઈનો માલ અથવા તેની ઇઝ્ઝત અથવા કોઈને કતલ કરીને તેના પર જુલમ કર્યો હોય તો ચોથી શરત એ પણ હોય છે, કે તેણે જેના પર જુલમ કર્યો હોય તેને તેનો હક આપી દેવો જોઈએ.
અલ્લાહ વિશે ઇલ્મ પ્રાપ્ત કરવાની મહત્ત્વતા જે પોતાના બંદાને દીન વિશે જણાવે છે, કે તે જ્યારે ગુનાહ કરે તો તૌબા કરી લે, અને તેનાથી નાસિપાસ ન થાય અને ન તો તેનાથી દૂર થાય.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

