શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺના કેટલાક સહાબાઓએ આપને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલદાર સહાબી અમારાથી વધારે સવાબ લઈ ગયા, જે રીતે અમે નમાઝ પઢીએ છીએ તેઓ પણ પઢે છે, જે રીતે અમે રોઝા રાખીએ છીએ તેઓ પણ રાખે છે, હવે તેનાથી વધારે તેઓ પોતાના માલ માંથી સદકો અને લિલ્લાહ રકમ દાન કરે છે આપ
ﷺએ કહ્યું: «શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે»,સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમારા માંથી એક વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી કરે છે શું તેના ઉપર પણ તેને સવાબ મળે છે? આપ
ﷺએ કહ્યું: «મને જણાવો કે શું તે તેને હરામ જગ્યાએ પુરી કરે તો તેને ગુનોહ થશે? એવી જ રીતે જો તે તેને હલાલ રીતે પુરી કરશે તો તેને સવાબ મળશે».
Explanation
Benefits
સારા કાર્યોના ઘણા પ્રકારો છે, અને તેમાં દરેક કાર્યનો સમાવેશ થાય છે, જે મુસ્લિમ સારા ઇરાદા અને સારી નિયત સાથે કરે છે.
ઇસ્લામ સરળ દીન છે અને તેણે તેના અનુયાયીઓને ઘણી સહુલત આપી છે, એટલા માટે દરેક મુસલમાનોએ અલ્લાહનું અનુસરણ કરતા વધુ અમલ કરવા જોઈએ.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મુબાહ (યોગ્ય) વસ્તુ સાચી નિયત સાથે કરવામાં આવશે તો તે અનુસરણ અને ઇતાઅત બની જશે, પત્ની સાથે ઈચ્છા પૂરી કરવી ઈબાદત છે, જો તેની નિયત પત્નીના અનિવાર્ય હકો પુરા પાડવાની હશે અને તેની સાથે સારો વ્યવહાર કરવાની હશે તો જેનો આદેશ અલ્લાહએ આપ્યો છે, અથવા નેક સંતાનની પ્રાપ્તિ માટે, પોતે પવિત્ર રહેવા અને પત્નીને પણ પવિત્ર રાખવાની હોય, અથવા બન્નેની નજર હરામ કાર્યથી બચવાની હોય અથવા તેના વિશે વિચારવા અને તેની ફિકર કરવાની હોય અથવા અન્ય કોઈ પણ સારા હેતુ માટે નિયત હશે તો તે અનુસરણ બની જશે.
ઉદાહરણ અને ઉપમા વડે સમજાવી શકાય છે જેથી કરીને સાંભળનાર વ્યક્તિ માટે તે બાબત સ્પષ્ટ થઈ જાય.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

