અલ્લાહ તઆલાએ મને જે હિદાયત અને જ્ઞાન સાથે પયગંબરી સોંપી છે, તેનું ઉદાહરણ ભારે વરસાદ જેવું છે, જે જમીન પર વરસે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ મને જે હિદાયત અને જ્ઞાન સાથે પયગંબરી સોંપી છે, તેનું ઉદાહરણ ભારે વરસાદ જેવું છે, જે જમીન પર વરસે, તો જમીનનો જે ભાગ ઉપજાઉ હોય છે, તો તે જમીનનો ભાગ તે પાણીને શોષી લે છે, અને વધુ માત્રામાં ઘાસ અને વનસ્પતિ ઉગાડે છે, જયારે કે જમીનનો થોડો ભાગ ઉપજાઉ હોતો નથી, તો તે પાણીને રોકી લે છે, અને અલ્લાહ લોકોને ફાયદો પહોંચાડે છે, જેથી લોકો પોતે પણ પાણી પીવે છે અને પોતાના જાનવરોને પણ પીવડાવે છે, અને તેના દ્વારા ખેતી કરે છે, એવી જ રીતે વરસાદ જમીનના એવા ભાગ પર વરસે છે જે ટેકરા માફક હોય છે, જે ન તો પાણીને એકઠું કરે છે ન તો વનસ્પતિ ઉગાડે છે, આ જ ઉદાહરણ તે વ્યક્તિનું છે, જેના અલ્લાહના દીનની સમજ પ્રાપ્ત કરી અને જે શિક્ષા આપી માણે અલ્લાહએ મોકલ્યો છે, તેના દ્વારા ફાયદો ઉઠાવ્યો, તેણે પોતે પણ શિક્ષા પ્રાપ્ત કરી અને અન્ય લોકોને પણ શીખવાડી, તથા આ તે વ્યક્તિનું ઉદાહરણ છે જેણે આ વાત પર ધ્યાન ન આપ્યું અને અલ્લાહનું માર્ગદર્શન, જે હું લઈને આવ્યો છું તેનો સ્વીકાર ન કર્યો».
Explanation
Benefits
ઉદાહરણ અને ઉપનાનો ઉપયોગ લોકો માટે અર્થ સ્પષ્ટ કરવામાં મદદરૂપ થાય છે.
ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: જે રીતે વરસાદનું પાણી મૃત જમીનને જીવિત કરી દે છે, એવી જ રીતે દીન જ્ઞાન મૃતક દિલને જીવિત કરી દે છે, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ જ્ઞાન સાંભાળનારને વિવિધ પ્રકારની જમીન દ્વારા સરખાવ્યા જેના પર વરસાદ પડે છે.
દીનનું જ્ઞાન પ્રાપ્ત કરવા બાબતે લોકો પોતાના ક્રમમાં અલગ અલગ હોય છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

