નિઃશંક જન્નતમાં એક દ્વાર છે, જેને રય્યાન કહેવામાં આવે છે, કયામતના દિવસે તે દ્વાર માંથી ફક્ત રોજદાર જ દાખલ થશે, તેમના સિવાય અન્ય કોઈ પણ દાખલ નહીં થાય
Choose an available translation of this Hadeeth
Hadeeth text
સહલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક જન્નતમાં એક દ્વાર છે, જેને રય્યાન કહેવામાં આવે છે, કયામતના દિવસે તે દ્વાર માંથી ફક્ત રોજદાર જ દાખલ થશે, તેમના સિવાય અન્ય કોઈ પણ દાખલ નહીં થાય કહેવામાં આવશે: ક્યાં છે રોજેદારો, તેઓ ઊભા થશે, તેમના સિવાય અન્ય કોઈ પણ દાખલ નહીં થાય, બસ જ્યારે તેઓ દાખલ થઈ જશે, ત્યાર પછી અન્ય કોઈ પણ દાખલ નહીં થાય».
Explanation
Benefits
અલ્લાહ તઆલાએ રોજેદારો માટે ખાસ એક જન્નતનો આઠમો દ્વાર બનાવ્યો છે, જ્યારે તેઓ દાખલ થઈ જશે, તો તે દ્વાર બંધ કરી દેવામાં આવશે.
જન્નતના દરવાજાઓનું વર્ણન.
ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (રોજેદારો ક્યાં છે?) અર્થાત્: વધુ પ્રમાણમાં રોજા રાખનાર, જેમકે ન્યાયી અને અત્યાચારી, આ તે લોકો માટે છે જેઓ કાયમ રોજા રાખે છે, તેઓ માટે નહીં જેઓ ફક્ત એક જ વાર રાખે છે.
(અર્ રય્યાન) અર્થાત્ પાણી પીવડાવનાર; કારણકે રોજા રાખનાર ને હંમેશા તરસ લાગે છે, ખાસ કરીને ગરમીના લાંબા ગરમ દિવસોમાં; તેથી તેમના માટે પુરસ્કાર રૂપે આ અનોખો દરવાજો તૈયાર કરવામાં આવ્યો, જેને બાબુર્ રય્યાન કહેવમાં આવે છે, અને એમ પણ કહેવામાં આવ્યું છે: અર્ રય્યાન શબ્દ "ફઅલાન" માંથી લેવામાં આવ્યો છે, જે તરસ દૂર કરવાનો અર્થ જણાવે છે, જેથી તેનું નામ: રોજેદારો પોતાની તરસ અને ભૂખ રોકી રાખે છે, તો તેમના સવાબ માટે રાખવામાં આવ્યું છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

