એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો પછી તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દસ»,
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો પછી તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દસ», પછી એક બીજો વ્યક્તિ આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ", તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો, તો તે બેસી ગયો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વીસ», ફરી એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહું", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો, તે પણ બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ત્રીસ».
Explanation
Benefits
સલામના શબ્દોમાં વધારો કરવાથી વધુ સવાબ પ્રાપ્ત થાય છે.
સલામ કરવાનો સૌથી સંપૂર્ણ શ્રેષ્ઠ તરીકો આ છે: (અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહુ) અને સલામના જવાબમાં સૌથી શ્રેષ્ઠ શબ્દો: (વઅલયકુમુસ્સલામ વરહમતુલ્લાહિ વ બરકાતુહુ) છે.
સલામ કરવા અને જવાબ આપવામાં અલગ અલગ પડાવ છે અને તેમની વચ્ચે સવાબ પણ (તફાવત) છે.
લોકોને ભલાઈની શિખામણ અને તેમને શ્રેષ્ઠ માર્ગદર્શન અપનાવવાની તાકીદ.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: સલામ કરનાર વ્યક્તિ (વરહમતુલ્લાહિ) તો તેના જવાબમાં (વબરકાતુહુ) કહેવું મુસ્તહબ છે, ભલેને જવાબમાં (વબરકતુહુ) શબ્દનો વધારો કર્યો, હવે શું જવાબમાં વબરકાતુહુ શબ્દ કરતા વધારે શબ્દ કહેવા જાઈઝ છે? સલામ કરનાર વ્યક્તિ પણ (વબરકાતુહ) સુધી સલામ કરે છે તો તેના જવાબમાં વધારો કરવો જાઈઝ છે? મુઅત્તામાં ઇમામ માલિક રહિમહુલ્લાહએ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી છે, તેમણે કહ્યું: સલામ બરકત પણ પૂર્ણ થાય છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

