મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો કે શું વાત છે માસિક વાળી સ્ત્રી રોઝાની કઝા તો કરે છે પરંતુ નમાઝની કઝા નથી કરતી?
Choose an available translation of this Hadeeth
Hadeeth text
મુઆઝહ કહે છે: મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો કે શું વાત છે માસિક વાળી સ્ત્રી રોઝાની કઝા તો કરે છે પરંતુ નમાઝની કઝા નથી કરતી? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: શું તું હરૂરિય્યહ છે? મેં કહ્યું: હું હરૂરિય્યહ નથી, પરંતુ હું ફક્ત સવાલ કરી રહી છું, આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: જ્યારે અમને માસિક આવતું તો અમને રોઝાની કઝા કરવાનો આદેશ આપવામાં આવતો, નમાઝની કઝા કરવાનો આદેશ આપવામાં ન આવતો.
Explanation
Benefits
હરૂરિય્યહ કૂફાની નજીક આવેલ એક શહેર તરફ નિસબત આપવામાં આવી છે, જેનું નામ "હરૂરાઅ" છે, ખારીજીઓનું એક જૂથ, જે ઘણી બાબતોમાં અતિરેક તેમજ વિદ્રોહ અને વ્યર્થ સવાલના કારણે પથભ્રષ્ટ સમુદાય છે.
શિક્ષક તે બાળકને સ્પષ્ટ રીતે સમજાવી શકે છે, જે તેમની પાસે ઇલ્મ શીખવા અથવા માર્ગદર્શન માટે આવે.
નસ (કુરઆન અથવા હદીષ) થી સવાલનો જવાબ આપવો શ્રેષ્ઠ છે, આ વિશે આયશા રઝી અલ્લાહુ અન્હાંને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો આપે હદીષ દ્વારા જવાબ આપ્યો, જે ઠોસ જવાબની નિશાની છે.
અલ્લાહ અને તેના પયગંબર આપેલ આદેશનો સ્વીકાર કરવો જરૂરી છે, ભલેને બંદો તેની હિકમત જાણતો હોય કે ન જાણતો હોય.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આયશા રઝી અલ્લાહુ અન્હાનું કહેવું કે તે ખારીજીઓનું એક જુથનો તરીકો છે, જેઓ માસિકવાળી સ્ત્રીઓ માટે તેમના હૈઝના સમયમાં પણ નમાઝની કઝા જરૂરી કહે છે, જે મુસલમાનોના ઇજમાઅ વિરુદ્ધ છે, આ તરીકો જે આયશા રઝી અલ્લાહુ અન્હાએ અપનાવ્યો, તે ઇન્કાર માટે હતો, અર્થાત તે હરુરી લોકોનો તરીકો છે અને તે તદ્દન ખોટો તરીકો છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

