અલ્લાહની કસમ! જો અલ્લાહ તઆલા એક વ્યક્તિને પણ તમારા દ્વારા ઇસ્લામની હિદાયત આપી દે, તો તે તમારા માટે લાલા ઊંટો કરતા પણ વધુ ઉત્તમ છે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખૈબરના દિવસે કહ્યું: «આવતી કાલે હું ધ્વજ એવા વ્યક્તિને આપીશ, જેના હાથ વડે અલ્લાહ વિજય અપાવશે, અને જે અલ્લાહ અને તેના પયગંબરથી મોહબ્બત કરે છે, અને અલ્લાહ અને તેનો રસૂલ પણ તેનાથી મોહબ્બત કરે છે», રિવાયત કરનાર કહે છે કે દરેકે લોકોએ રાત એ ચિંતામાં પસાર કરી કે કાલે અલ્લાહના પયગંબર આ ધ્વજ કોને આપશે? જ્યારે સવાર પડી તો દરેક લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યા એ આશા રાખી કે ધ્વજ અમને મળશે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલી બિન અબી તાલિબ ક્યાં છે?» કહ્યું કે હે અલ્લાહના પયગંબર! તેમની આંખોમાં કંઈક તકલીફ છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તેમને મારી પાસે લાવો», જ્યારે તેમને બોલાવવામાં આવ્યા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમની આંખો પર પોતાનું થુંક લગાવ્યું અને તેમના માટે દુઆ કરી, દુઆની બરકતથી તેઓ એવી રીતે સાજા થઈ ગયા કે તેમને કોઈ બીમારી હતી જ નહીં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ધ્વજ તેમને આપ્યો, તો અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: હે અલ્લાહના રસૂલ! હું તેમની સાથે ત્યાં સુધી યુદ્ધ કરીશ જ્યાં સુધી તેઓ આપણા જેવા ન બની જાય? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «(ના પરંતુ) શાંતિથી ચાલતા રહો અહીં સુધી કે તમે તેમના મેદાનમાં પહોંચી જાઓ, ફરી તેમને ઇસ્લામ તરફ બોલાવો અને પછી તેમને જણાવો કે તેમના પર અલ્લાહના ક્યાં ક્યાં હકો અનિવાર્ય છે, અલ્લાહની કસમ! જો અલ્લાહ તઆલા એક વ્યક્તિને પણ તમારા દ્વારા ઇસ્લામની હિદાયત આપી દે, તો તે તમારા માટે લાલા ઊંટો કરતા પણ વધુ ઉત્તમ છે».
Explanation
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પૂછ્યું કે અલી બિન તાલિબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) ક્યાં છે?
તો કહેવામાં આવ્યું કે તે બીમાર છે, તેમની આંખમાં તકલીફ છે.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને બોલાવ્યા, તેઓ આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાનું પવિત્ર થુંક તેમની આખો પર લગાવ્યું અને તેમના માટે દુઆ કરી, તો અલ્લાહએ તેમને શિફા આપી, એવી શિફા આપી કે તેમને આંખમાં કંઈ તકલીફ હતી જ નથી, ફરી તેમને ધ્વજ આપ્યો, અને તેમને નમ્રતા સાથે આગળ વધવાનો આદેશ આપ્યો, અને માર્ગદર્શન આપ્યું કે જો તમે શત્રુના કિલ્લા સુધી પહોંચી જાઓ, તો સૌ પ્રથમ તેમને ઇસ્લામ સ્વીકારવાનું આમંત્રણ આપો, અને જો તેઓ ઇસ્લામ સ્વીકારી લે તો તેમને અલ્લાહના અધિકારો વિષે જણાવો.
ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) ને અલ્લાહ તરફ આમંત્રણ આપવાની મહત્ત્વતા વિશે જણાવ્યું કે જો તમારા દ્વારા અલ્લાહ એક પણ વ્યક્તિને હિદાયત આપે, તો તે લાલ ઊંટ કરતા પણ વધુ શ્રેષ્ઠ છે, જે અરબમાં સૌથી કિંમતી સામાન ગણવામા આવે છે.
Benefits
નેકીના કામો કરવાની સહાબાઓની ઉત્સુકતા અને તેમાં મુકાબલો.
યુદ્ધ વખતે અદબનો ખ્યાલ રાખવો, બિન જરૂરી અને હેરાન કરનાર આવજોથી બચવું જોઈએ.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની પયગંબરીના પુરાવા માંથી છે કે તેમણે યહૂદીઓ પર વિજય પ્રાપ્ત થવાની સૂચના આપી, અને અલ્લાહના આદેશથી અલી બિન તાલિબની આંખો ઠીક થવી.
જિહાદનો એક ભવ્ય હેતુ એ કે લોકો વધુમાં વધુ ઇસ્લામમાં દાખલ થાય.
અલ્લાહ તરફ દઅવત આપવામાં તરતીબનો ખ્યાલ કરવો, સૌ પ્રથમ જબાન વડે શહાદતની સાક્ષી આપી ઇસ્લામની દઅવત આપવામાં આવે, ત્યાર બાદ અન્ય આદેશો પર અમલ કરવાનો આદેશ આપવામાં આવે.
ઇસ્લામ તરફ આમંત્રણ આપવાની મહત્ત્વતા, અને આમંત્રણ આપનાર અને જેને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, તે બન્ને માટે ભલાઈ પ્રાપ્ત થઈ શકે છે, જેને દઅવત આપવામાં આવી છે તેને માર્ગદર્શન મળી જશે અને જે દઅવત આપનાર છે તેને મહાન સવાબ મળશે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

