જે વ્યક્તિએ બે બાળકીઓનું ભરણપોષણ કર્યું, અહીં સુધી કે પુખ્તવય સુધી પહોંચી ગઈ, તો હું અને તે કયામતના દિવસે આવી રીતે પહોંચીશું» અને પોતાની બંને આંગણીઓ ભેગી કરી બતાવ્યું
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ બે બાળકીઓનું ભરણપોષણ કર્યું, અહીં સુધી કે પુખ્તવય સુધી પહોંચી ગઈ, તો હું અને તે કયામતના દિવસે આવી રીતે પહોંચીશું» અને પોતાની બંને આંગણીઓ ભેગી કરી બતાવ્યું.
Explanation
Benefits
છોકરીઓનો ખયાલ રાખવોનો સવાબ છોકરાઓના ખયાલ રાખવા કરતાં વધુ છે; કારણકે તેમના વિષે આ પ્રકારની કોઈ પણ વાત ઉલ્લેખ કરવામાં નથી આવી, એટલા માટે છોકરીઓનું ભરણપોષણ છોકરાઓનું ભરણપોષણ કરતા વધુ મહત્વપૂર્ણ છે; કારણકે તેઓ સ્ત્રીઓ છે અને તેઓ પોતે આ પુરુષ જેવા કામો નથી કરી શકતી, અને તેણીઓ છોકરાઓ માફક વ્યવહાર નથી કરી શકતી, એવી જ રીતે પોતાના પિતાને દુશ્મનોથી પણ બચાવવું, તેમજ તેમનું નામ અને ખાનદાનને જીવિત રાખવું, આ દરેક કાર્યો પુરુષોની જવાબદારીઓ માંથી છે, અને તેઓ પાબંદ હોય છે, એટલા માટે તેણીઓ પર ઉદારતા અને નિખાલસતા સાથે ખર્ચ કરવું મહાન સવાબ અને કયામતના દિવસે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સાથ મેળવવાનું એક કારણ છે.
સ્ત્રીઓ માટે પુખ્તવયની નિશાનીઓ: પંદર વર્ષ પુરા થવા, અથવા પંદર વર્ષ પહેલાં માસિક આવવું, અથવા નાભિની નીચે વાળ ઉગવા, અથવા સ્વપ્નદોષ થવું અને તે સપનામાં પાણી નીકળવું છે.
ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: તેમની પુખ્તવયનો અર્થ એ છે કે તેણીઓ એ સ્થિતિ સુધી પહોંચી જાય કે તેઓ સ્વતંત્ર થઈ જાય; કારણકે આ વાતો તે સ્ત્રીઓ પર લાગું પડે છે, જ્યાં સુધી તેમના પતિ તેમની સાથે સમાગમ ન કરી લે, તેનો એ અર્થ એ નથી કે તે પુખ્તવયની થઈ જાય અને તેને હૈઝ (માસિક) આવવા લાગે, અને તેણીઓ તરુણાવસ્થા સુધી પહોંચી જાય; અને જો તેમની શાદી પુખ્તવય પહેલા થઈ જાય, તો તો પતિ તેના ભરણપોષણનો જવાબદાર નથી, અને જો તેણીને માસિક આવી જાય અને જો તે પોતે સ્વતંત્ર ન હોય અને તેણીને છોડી દેવામાં, આવે તો તે બરબાદ અને નષ્ટ થઈ જશે, પરંતુ આ સ્થિતિમાં તેની સુરક્ષા કરવામાં આવે અને જે વ્યક્તિ તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, તે તેણીનું ભરણપોષણ કરશે, તો આનો અર્થ કેટલાક આલિમોએ વર્ણન કર્યો કે પુખ્તવયના કારણે પિતા પર થી તેના ભરણપોષણ કરવાનો હક ખતમ નહીં થાય જ્યાં સુધી તેનો પતિ તેની સાથે સમાગમ કરી લે, ત્યાર બાદ તેના ભરણપોષણની જવાબદારી પતિની રહેશે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

