આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝની શરૂઆત તકબીરે તહરિમાથી અને અલ્ હમ્દુ લિલ્લાહિ રબ્બિલ્ આલમીનની તિલાવત દ્વારા કરતા
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ઉમ્મુલ્ મુઅમિનિન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝની શરૂઆત તકબીરે તહરિમાથી અને અલ્ હમ્દુ લિલ્લાહિ રબ્બિલ્ આલમીનની તિલાવત દ્વારા કરતા, જ્યારે રુકૂઅ કરતા તો માથાને ન તો વધારે ઝુકાવીને રાખતા અને ન તો વધારે ઉપર રાખતા, પરંતુ બરાબર રાખતા હતા, અને જ્યારે રુકૂઅથી માથું ઉઠાવતા, તો જ્યાં સુધી સીધા ઉભા ન થઈ જતા, સિજદો ન કરતા, તેમજ જ્યારે સિજદાથી માથું ઉઠાવતા, તો ત્યાં સુધી બીજો સિજદો ન કરતા, જ્યાં સુધી સીધા બેસી નહતા જતા, દરેક બે રકઅત પછી અત્ તહિય્યાત પઢતા, ડાબા પગને આડો કરી તેના પર બેસતા અને જમણો પગ ઉભો રાખતા અને શૈતાનની જેમ બેસવાથી રોકતા, તેમજ જંગલી જાનવરની માફક હાથ ફેલાવી બેસવાથી પણ રોકતા, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલામ દ્વારા નમાઝ પૂર્ણ કરતા.
Explanation
Benefits
તકબીરે તહરિમા જરૂરી છે, જે નમાઝના શબ્દો અને ક્રિયાઓનો વિરોધાભાસ કરતા દરેક શબ્દ અથવા ક્રિયાને પ્રતિબંધિત કરે છે, નમાઝની શરૂઆત માટે તેના બદલે કોઈ શબ્દોનો ઉપયોગ કરી શકતા નથી.
સૂરે ફાતિહા પઢવી જરૂરી છે.
રુકૂઅ જરૂરી છે અને તેમા પીઠને સીધી રાખવી શ્રેષ્ઠ છે, ન તો વધારે ઉઠાવી અને ન તો વધારે ઝુકાવવી.
રુકૂઅ માંથી ઉભા થવું જરૂરી છે અને સિજદામાં જતા પહેલા થોડુંક ઉભા રહેવું પણ જરૂરી છે.
સિજદો કરવો જરૂરી છે, પહેલો સિજદો કર્યા પછી, ત્યાં સહેજ વાર માટે બેસવું પણ જરૂરી છે.
નમાઝ પઢતી વખતે નમાઝ પઢનાર ડાબો પગ ફેલાવી શકે છે અને જમણો પગ ઉંચો કરી શકે છે, જોકે, મગરિબ અને ઈશાની નમાઝ જેમાં બે વખત તશહ્હુદ આવતા હોય, તેમાં અંતિમ તશહ્હુદમાં પગ ક્રોસ કરીને બેસવાની પણ પરવાનગી છે, આ બાબતે અન્ય હદીષો પણ આવેલી છે.
શૈતાનની માફક બેસવા પર રોકવામાં આવ્યા છે, અને એવી રીતે કે બન્ને એડી ઉભી રાખી, બન્ને પગ ફેલાવી અને એ બન્નેની વચ્ચે જમીન પર નિતંબ ચોંટાડી બેસવામાં આવે.
જંગલી જાનવરની માફક પણ બેસવાથી રોક્યા છે, એવી રીતે કે બન્ને હાથ ફેલાવીને બેસવું અને તે આળસ અને નબળાઇની નિશાની છે.
શૈતાન અને પ્રાણીઓના કાર્યોનું અનુકરણ કરવાથી રોકવામાં આવ્યા છે.
સલામ પર જ નમાઝ પૂર્ણ કરવી જરૂરી છે, અને જે સદાચારી નમાઝ પઢનાર, હાજર અને ગેરહાજર દરેક માટે દરેક પ્રકારની દુષ્ટતા અને ખામીઓથી સુરક્ષિત રહેવા માટેની એક દુઆ છે.
નમાઝ શાંતિથી પઢવી જરૂરી છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

