HadeethEnc · 1.26.0
સુન્નત તરીકો એ છે કે જ્યારે અઝાન આપનાર ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" કહે, તો તેના પછી કહે: "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: સુન્નત તરીકો એ છે કે જ્યારે અઝાન આપનાર ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" કહે, તો તેના પછી કહે: "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ".
02
Explanation
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની સુન્નતમાં જે વસ્તુઓ નક્કી કરી તેમાંથી એ પણ છે કે મુઅઝ્ઝિન ખાસ કરીને ફજરની અઝાનમાં ("હય્ય અલલ્ ફલાહ" આવો સફળતા તરફ) કહ્યા પછી, કહે: ("અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ" નમાઝ ઊંઘ કરતાં વધુ શ્રેષ્ઠ છે).
03
Benefits
આ હદીષમાં (સુન્નત માંથી) કહ્યું: અર્થાત્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત, જેથી આ હદીષનો હુકમ મરફૂઅનો છે અર્થાત્ આ હદીષની નિસ્બત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ છે.
મુઅઝ્ઝિનનું ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" (આ સફળતા તરફ) પછી બે વખત "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ્" (નમાઝ ઊંઘ કરતા વધુ શ્રેષ્ઠ છે) કહેવું મુસ્તરહબ છે; કારણ કે ફજરની નમાજ સમયે લોકો સૂઈ ગયા હોય છે, અને તેઓ નમાઝ માટે ઊંઘમાંથી ઊભા થાય છે, એટલા માટે જ ફજર નમાઝને ખાસ કરવામાં આવી, અન્ય નમાઝ સિવાય.
મુઅઝ્ઝિનનું ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" (આ સફળતા તરફ) પછી બે વખત "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ્" (નમાઝ ઊંઘ કરતા વધુ શ્રેષ્ઠ છે) કહેવું મુસ્તરહબ છે; કારણ કે ફજરની નમાજ સમયે લોકો સૂઈ ગયા હોય છે, અને તેઓ નમાઝ માટે ઊંઘમાંથી ઊભા થાય છે, એટલા માટે જ ફજર નમાઝને ખાસ કરવામાં આવી, અન્ય નમાઝ સિવાય.
Attribution
[رواه ابن خزيمة والدارقطني والبيهقي]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares

