અલ્લાહ તઆલાએ કહ્યું: મેં પોતાના સદાચારી બંદાઓ માટે એવી નેઅમતો તૈયાર કરીને રાખી છે, જેના વિશે ન તો કોઈ આંખે જોઈ છે અને ન તો કોઈ કાને સાંભળ્યું છે તેમજ ન તો કોઈ માનવીના દિલમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: મેં પોતાના સદાચારી બંદાઓ માટે એવી નેઅમતો તૈયાર કરીને રાખી છે, જેના વિશે ન તો કોઈ આંખે જોઈ છે અને ન તો કોઈ કાને સાંભળ્યું છે તેમજ ન તો કોઈ માનવીના દિલમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે», અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જો તમે પુષ્ટિ કરવા ઇચ્છતા હોવ તો કુરઆન મજીદની આ આયત પઢો: {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].
Explanation
{કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].
Benefits
જે કંઈ અલ્લાહએ પોતાના સદાચારી બંદાઓ માટે તૈયાર કરીને રાખ્યું છે, તેની પ્રાપ્તિ માટે, લોકોને આજ્ઞાપાલન કરવા તરફ તેમજ દુષ્ટ કાર્યોને છોડવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
અલ્લાહ તઆલાએ પોતાની કિતાબમાં અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની સુન્નતમાં જન્નતની દરેક નેઅમતો વિશે જાણકારી નથી આપી, આપણને જેના વિશે જાણ નથી કરી તે વસ્તુ તેના કરતાં ખૂબ ભવ્ય છે, જેના વિશે આપણને જાણ આપી છે.
જન્નતની નેઅમતોની સપૂર્ણતાની સ્પષ્ટતા અને એ કે જન્નતી લોકો તકલીફ અને પરેશાની વગર તેના આનંદમાં હશે.
દુનિયાનો સામાન ક્ષણિક છે, જ્યારે કે આખિરતનો સામાન કાયમી અને હમેંશા માટે છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

